સ્પોર્ટ્સ ડેસ્ક10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેગા ઓક્શન પહેલાં ફ્રેન્ચાઇઝી ટીમ 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. તેમાં 5 ઈન્ટરનેશનલ અને એક અનકેપ્ડ ખેલાડી સામેલ હોઈ શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના એમએસ ધોની અનકેપ્ડ ખેલાડી તરીકે IPL રમી શકશે.
ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, શનિવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની એન્યુઅલ મિટિંગમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે ટીમની પર્સ લિમિટ પણ 100 કરોડ રૂપિયાથી વધારીને 120 કરોડ રૂપિયા કરવામાં આવી છે. મેગા ઓક્શનમાં ટીમને રાઈટ ટુ મેચ કાર્ડ પણ મળશે. એક ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને ટીમમાંથી જાળવી શકે છે. આનાથી KKR, SRH, CSK, RR અને MI જેવી સ્થિર ટીમને ફાયદો થશે.
બોર્ડના સેક્રેટરી જય શાહે પણ આજે જાહેરાત કરી હતી કે ટુર્નામેન્ટના તમામ ખેલાડીઓને મેચ ફી ચૂકવવામાં આવશે. ઉપરાંત, ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ લીગમાં રહેશે. આ વર્ષે નવેમ્બરમાં મેગા ઓક્શન થઈ શકે છે, જેની તારીખો હજુ નક્કી થવાની બાકી છે.
5 ઈન્ટરનેશનલ ખેલાડીઓને રિટેન કર્યા પછી માત્ર ₹45 કરોડ બચશે
2022ની મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલીને સૌથી વધુ 17 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
- જો IPL ટીમ મેગા ઓક્શન પહેલા 5 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને રિટેન કરશે તો તેમના પર્સમાં માત્ર 45 કરોડ રૂપિયા જ બચશે. જેના કારણે તેમને બાકીના 20 ખેલાડીઓ ખરીદવા પડશે. રિટેન કરાયેલા ખેલાડીઓમાં 2 ખેલાડી 18-18 કરોડ રૂપિયામાં, 2 ખેલાડી 14-14 કરોડ રૂપિયામાં અને 1 ખેલાડી 11 કરોડ રૂપિયામાં ટીમનો ભાગ બનશે.
- અનકેપ્ડ પ્લેયરને 4 કરોડ રૂપિયામાં રિટેન કરી શકાય છે. તેનો અર્થ એ છે કે જો ટીમ 5 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને જાળવી રાખે છે, તો તેમને 75 કરોડ રૂપિયા ખર્ચવા પડશે, આનાથી તેમના 45 કરોડ રૂપિયાની બચત થશે. અનકેપ્ડ ખેલાડી કોઈપણ દેશનો પણ હોઈ શકે છે.
- જો ટીમ ઈચ્છે તો 6 રિટેન કરાયેલા ખેલાડીઓમાં 2 અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ કરી શકે છે.
- ટીમે 6 ખેલાડીઓને રિટેન કરવા માટે 79 કરોડ રૂપિયા ખર્ચવા પડશે, જેના કારણે ટીમ પાસે માત્ર 41 કરોડ રૂપિયા જ બચશે.
- IPL મેગા ઓક્શનમાં દર વખતે વિદેશી અને ભારતીય ખેલાડીઓને રિટેન કરવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે વિદેશી અને ભારતીય ખેલાડીઓને રિટેન કરવાની કોઈ મર્યાદા નથી. જો ફ્રેન્ચાઇઝી ઇચ્છે તો તે તમામ પાંચ ભારતીય કે પાંચ વિદેશી ખેલાડીઓને જાળવી શકે છે.
- મેગા ઓક્શનમાં વિદેશી ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો ખેલાડી રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેને આવતા વર્ષે IPLમાં સામેલ કરવામાં આવશે નહીં.
- જો ઓક્શનમાં વેચાયા બાદ વિદેશી ખેલાડીઓ IPLમાંથી તેમના નામ પાછા ખેંચી લે છે, તો તેમના પર આગામી 2 વર્ષનો IPL રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
- જો કોઈ ભારતીય ખેલાડી તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 5 વર્ષ પહેલા રમ્યો હોય તો તેને ઓક્શનમાં અનકેપ્ડ પ્લેયર તરીકે ગણવામાં આવશે.
ધોની અનકેપ્ડ ખેલાડી તરીકે રમી શકશે 5 વખતની IPL ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અનકેપ્ડ પ્લેયર તરીકે IPL રમી શકશે. IPL એ તેના પહેલાના નિયમને ફરીથી દાખલ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષ પહેલાં ભારતીય ટીમમાંથી નિવૃત્ત થયેલા ખેલાડીઓ અનકેપ્ડ પ્લેયર તરીકે ઓક્શનમાં ભાગ લઈ શકશે.
ધોનીએ 2020માં નિવૃત્તિ લીધી હતી, પરંતુ તેણે ભારત માટે તેની છેલ્લી મેચ 2019માં રમી હતી. આ રીતે, 2025 IPLના સમય સુધીમાં, તેની નિવૃત્તિ અને તેની છેલ્લી મેચ બંનેને 5 વર્ષથી વધુ સમય થઈ જશે. આ નિયમનો પહેલા ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે તેને 2021માં હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, હવે CSK આ નિયમનો ઉપયોગ ધોની માટે કરી શકે છે.
CSKના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની એક અનકેપ્ડ ખેલાડી તરીકે IPL રમી શકશે.
રાઈટ ટુ મેચ કાર્ડ પરત ફર્યું IPL મેગા ઓક્શનમાં પણ રાઈટ ટુ મેચ કાર્ડ પુનરાગમન કરી રહ્યું છે. જો ટીમ કોઈપણ ખેલાડીને જાળવી રાખવામાં અસમર્થ હોય તો તેઓ રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને મેગા ઓક્શનમાં તેને જાળવી શકશે. જો ટીમ ઇચ્છે તો, તેઓ તમામ 6 ખેલાડીઓને જાળવી શકે છે અથવા કેટલાક ખેલાડીઓને જાળવી શકે છે અને કેટલાકને રાઇટ ટુ મેચ કાર્ડ સાથે ટીમમાં રાખી શકે છે. જો ટીમ ઈચ્છે તો એક પણ ખેલાડીને જાળવી રાખવાને બદલે રાઈટ ટુ મેચ કાર્ડથી તમામ 6 ખેલાડીઓને ખરીદી શકે છે.
રાઈટ ટુ મેચ કાર્ડ શું છે? ઓક્શનમાં ટીમ દ્વારા રાઈટ ટુ મેચ એટલે કે RTM કાર્ડનો ઉપયોગ કરી શકાશે. ઉદાહરણ તરીકે, આપણે કહીએ કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સે જાળવી રાખ્યો નથી. તેનું નામ ઓક્શનમાં સામે આવ્યું અને તેને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. હવે જો મુંબઈ ઈચ્છે તો RTM કાર્ડનો ઉપયોગ કરીને 10 કરોડ રૂપિયામાં રોહિતને પોતાની પાસે રાખી શકે છે. RTM કાર્ડ તમામ ટીમ પાસે રહેશે.
મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને 2022ની મેગા ઓક્શનમાં રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ દૂર કરવામાં આવશે નહીં 2023માં રજૂ કરવામાં આવેલ ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પણ IPLમાંથી દૂર કરવામાં આવશે નહીં. આ નિયમની મદદથી ટીમ પ્લેઇંગ-11ના કોઈપણ એક ખેલાડીને મેચની મધ્યમાં બેંચ પર બેઠેલા ખેલાડી સાથે બદલી શકે છે. છેલ્લી સિઝનમાં, આ નિયમના ઉપયોગને કારણે રનની સંખ્યામાં વધારો થયો છે. જેનાથી ટુર્નામેન્ટના ઈતિહાસમાં ટૉપ-10માં હાઇએસ્ટ સ્કોર ગત સિઝનમાં જ બની ગયા હતા.
ટીમે 8 ખેલાડીઓને રિટેન કરવાની માગ કરી હતી IPL મેગા ઓક્શનમાં આ વખતે ખેલાડીઓના રિટેન્શનનો મુદ્દો ગરમ રહ્યો હતો. જે ટીમ અગાઉની ફાઈનલમાં પહોંચી હતી, કોલકાતા અને હૈદરાબાદ મેગા ઓક્શનની તરફેણમાં ન હતી. બંને ટીમના માલિકોએ દરેક 8 ખેલાડીઓને રિટેન રાખવાની માગ કરી હતી. તે જ સમયે, દિલ્હી ટીમના માલિકે IPLમાંથી ઇમ્પેક્ટ પ્લેયરને નિયમને દૂર કરવાની વાત કરી હતી.
છેલ્લા મેગા ઓક્શનમાં રીટેન્શનનો નિયમ શું હતો? છેલ્લું મેગા ઓક્શન 2022માં યોજાયો હતો, જ્યારે ગુજરાત અને લખનઉની 2 નવી ટીમ લીગમાં ઉમેરવામાં આવી હતી. ત્યારે ટીમ 42 કરોડ રૂપિયામાં 4 ખેલાડીઓને રિટેન કરી શકી હતી. જેમાં એક ખેલાડીની કિંમત 16 કરોડ, એક 12 કરોડ, એક 8 કરોડ અને એક 6 કરોડ રૂપિયા હતી. જ્યારે 3 ખેલાડીઓને રિટેન કરનાર ટીમે 33 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. ત્યારે ટીમ પાસે રાઈટ ટુ મેચ કાર્ડ પણ નહોતું.
2022ની મેગા ઓક્શન પહેલા લખનઉએ કેએલ રાહુલને 17 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
IPL ખેલાડીઓને એક મેચ માટે ₹7.50 લાખ અને સમગ્ર સિઝન માટે ₹1.05 કરોડ મળશે
જય શાહે IPLમાં મેચ ફી ચૂકવવાની જાહેરાત કરી.
આગામી સિઝનથી IPLમાં ખેલાડીઓને મેચ ફી પણ આપવામાં આવશે. BCCI સેક્રેટરી જય શાહે શનિવારે સાંજે જાહેરાત કરી હતી કે હવેથી IPLમાં પ્લેઇંગ-11માં સામેલ દરેક ખેલાડીને એક મેચ માટે 7.50 લાખ રૂપિયા મળશે. જે ખેલાડી સિઝનની તમામ મેચ રમશે તેને તેની કિંમત ઉપરાંત 1.05 કરોડ રૂપિયાની અલગથી રકમ આપવામાં આવશે. જય શાહે કહ્યું કે મેચ ફી ફ્રેન્ચાઇઝી જ ચૂકવશે. તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમ સિઝનમાં મેચ ફી માટે 12.60 કરોડ રૂપિયાનું અલગ ફંડ ફાળવશે.