રાજકોટના મવડીમાં મૌલિક પાર્ક શેરી નંબર-3માં રહેતા 45 વર્ષીય વિલાસબેન મનસુખભાઈ પાનસેરીયાએ એરપોર્ટ પોલીસ મથકમાં વિશાલ ઉર્ફે વિલાસબેન મનસુખભાઈ પાનસેરીયાનું ખોટું નામ ધારણ કરનાર સ્ત્રી અને ભૌતિકનુ મનસુખભાઈ પાનસરિયાનું ખોટું નામ ધારણ કરનાર શખસ અને તપાસમાં
.
આર્ય સમાજની વિધિથી લગ્ન કરેલ હતા એરપોર્ટ પોલીસ મથકમાં મારુ નામ વિલાસબેન મનસુખભાઈ પાનસુરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, મારા લગ્ન રાજકોટ શહેરના જીયાણા ગામના વતની પરષોતમભાઈ પાનસુરીયાના દિકરા મનસુખભાઈ સાથે વર્ષ 2000 મા સમાજના રીત રીવાજ મુજબ લગ્ન કરેલ હતા. આ લગ્ન ગાળા દરમ્યાન અમારે એક પુત્ર ભૌતિક (ઉ.વ. 22)ની છે.હું તથા મારો દીકરો અને મારા પતિ એમ અમો ત્રણેય જણા મોરબી રોડ પર રહેતા હતા. બાદમાં વર્ષ-2008 મા પતિ મનસુખભાઇ પાનસુરીયાનુ હાર્ટ એટેકથી અવસાન પામેલ હતા. ત્યારબાદ મે બીજા લગ્ન વર્ષ 2009 મા રાજકોટ શહેર ખાતે રહેતા હસમુખભાઇ ડાયાભાઇ હિરપરા સાથે આર્ય સમાજની વિધિથી લગ્ન કરેલ હતા.જે અમો હાલ ઉપરોક્ત સરનામે મારા બીજા પતિ અને મારા દિકરા સાથે રહુ છુ. અને મારે બીજા લગ્ન ગાળા દરમ્યાન હાલ કોઇ સંતાન નથી.
ખાતેદાર તરીકે ઓળખતા નથી એવા વ્યક્તિના નામ નીકળ્યા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા પ્રથમ પતિ મનસુખભાઈની જમીન રાજકોટ તાલુકાના જીયાણા ગામના રેવન્યુ સર્વે નં-16/1 પેકી 1ની જૂની શરતની જે માળીયુ ના નામથી ઓળખાતી સીમમાં આવેલી છે. જે હેક્ટર આશરે ચો. મી.-1-65-88 ક્ષેત્રફળની ખેતીની ખેડાણવાળી જમીન આવેલી છે. જે જમીન મારા સસરા પરષોતમભાઇ બચુભાઈ પાનસુરીયાના નામે હોય અને જેમા વારસદાર તરીકે જયાબેન વા/ઓ પરષોતમભાઇ બચુભાઈ પાનસુરીયા, મનસુખભાઈ પરષોતમભાઇ પાન સુરીયા, સુરેશભાઈ પરષોતમભાઈ પાનસુરીયા (રહે જીયાણા, રાજકોટ), સુમિતાબેન વા/ઓ હેમંતભાઇ સાકરીયા રહે હાલ સુરત, વિલાશબેન પ્રવિણભાઈ પટોડીયા (રહે ખીજડીયા, સરપદડ, પડધરી) જે રાજકોટવાળાઓના નામ હતા. જે જમીનની વહેચણી મારી હાજરીમાં મારા સસરાએ મારા પતિ તથા દીયરના ભાગે પડતી વાવવા માટે આપેલ હતી અને બંને ભાઈઓને જુદા-જુદા ખાતા પાડી આપેલ હતા, જે બંને ભાઇઓના (મનસુખભાઈ તથા સૂરેશભાઈ) ભાગે 10-10 વિઘા નામે ચડાવી આપેલ હતી અને મારા પતિના નામે ચડેલી જમીનમાં વારસદાર આંબામાં મારૂ તથા મારા દીકરા ભૌતિકનું નામ છે. જે બાદ મારો દીકરો ભૌતિક ગત તા. 7 ઓગસ્ટ, 2024ના રોજ આ અમારી જમીનના 7/12 તથા 8-અ કઢાવતા તેમા ખાતેદાર તરીકે પ્રવિણભાઇ વાલજીભાઇ દડેયા અને અમીત પ્રવિણભાઇ દડેયાવાળાઓના નામના નીકળેલ છે. જેઓને અમે ઓળખતા નથી અને તે હાલ ક્યા રહે છે. તેની અમોને ખબર નથી.
આ બધા નામવાળાઓને હું તથા મારો દીકરો ભૌતિક ઓળખતા નથી આ દસ્તાવેજમા જોતા ખોટુ પાનકાર્ડ લગાવેલ હતુ અને તેમા મારૂ તથા મારા દિકરા ભૌતીકનુ નામ લખેલ હતુ પરંતુ, તેમાં રહેલ ફોટો અમારો નહોતો અને તે પાનકાર્ડ પણ અમારા નહોતા તેમજ દસ્તાવેજમાં મારા તથા મારા દીકરાના ખોટા ફોટા લગાવેલ હોય તેમજ દસ્તાવેજમા કરેલ સહીઓ મારી કે મારા દિકરા ભૌતીકની ન હતી તેમજ આ દસ્તાવેજમા જમીન લેનાર પ્રવિણભાઇ વાલજીભાઇ દડેયા તથા અમીત પ્રવિણભાઇ દડેયા તથા સાક્ષી તરીકે વિપુલ પરષોતમભાઇ ચૌહાણ (રહે. ગોવિંદનગર, મોચીનગર સંજય નગર પ્રેસ કોલોની, રાજીવ નગર, રાજકોટ) વાળાઓના નામ છે. આ બધા નામવાળાઓને હું તથા મારો દીકરો ભૌતિક ઓળખતા નથી. જેથી, આ પ્રકરણમાં પોલીસ ફરીયાદ કરી છે.