11 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેબિનેટે ગુરુવારે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. તે સંસદના બજેટ સત્રના બીજા સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે. બજેટ સત્રનું બીજું સેશન 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.
આ પહેલાં 13 ફેબ્રુઆરીએ વક્ફ બિલ પર સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિના રિપોર્ટના આધારે વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ બજેટ સત્રના બીજા સેશનમાં રજૂ થઈ શકે છે.
જણાવીએ કે આ પહેલા વકફ બિલ પર જેપીસી રિપોર્ટને ખોટો ગણાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ પ્રકારના ફેક રિપોર્ટને અમે સ્વીકારતા નથી, ગૃહ ક્યારેય સ્વીકારશે નહીં.

કેબિનેટે ગુરુવારે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 19 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં મોટાભાગના સુધારાને મંજૂરી આપવામાં આવી છે. સુધારાના આધારે જ બિલને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા ભાગમાં વક્ફ બિલ લાવવાનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. જેપીસીએ તેના રિપોર્ટમાં વક્ફ બિલ પર અનેક સુધારા સૂચવ્યા હતા. જો કે, આ અંગે વિપક્ષી સભ્યોએ અસહમતી વ્યક્ત કરી છે.
વક્ફ બિલમાં 14 સુધારા
નંબર 1: બિન-મુસ્લિમ સભ્યોને પણ સમાવી શકાય છે
નંબર 2: મહિલા પ્રતિનિધિત્વ
નંબર 3: ચકાસણી પ્રક્રિયાઓમાં સુધારો
નંબર 4: જિલ્લા મેજિસ્ટ્રેટની ભૂમિકા
નંબર 5: વક્ફ બોર્ડની સત્તામાં ઘટાડો
નંબર 6: વકફ મિલકતોનું ડિજીટાઈઝેશન
નંબર 7: વધુ સારી ઓડિટ સિસ્ટમ
નંબર 8: ગેરકાયદેસર કબજો અટકાવવો
નંબર 9: વક્ફ બોર્ડના સભ્યોની નિમણૂક
નંબર 10: વક્ફ ટ્રિબ્યુનલની સત્તામાં વધારો
નંબર 11: વકફ મિલકતોના અનધિકૃત ટ્રાન્સફર પર કાર્યવાહી
નંબર 12: મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક
નંબર 13: વક્ફ પ્રોપર્ટીનું કોમ્પ્યુટરાઇઝેશન
નંબર 14: વકફ બોર્ડના માળખામાં ફેરફાર
શું વકફ બોર્ડનો કાયદો બદલાશે?
જૂના કાયદા હેઠળ, જો કોઈ મિલકત પર દાવો હોય તો, અપીલ ફક્ત ટ્રિબ્યુનલમાં જ કરી શકાય છે. પ્રસ્તાવિત ફેરફાર એ કરાયો છે કે હવે ટ્રિબ્યુનલ સિવાય કોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. જૂના કાયદામાં જણાવાયું હતું કે ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ રહેશે અને સૂચિત ફેરફાર જણાવે છે કે હાઈકોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. જૂનો કાયદો કહે છે કે જો જમીન પર મસ્જિદ હોય તો તે વકફ મિલકત છે, જ્યારે પ્રસ્તાવિત ફેરફારમાં કહેવાયું છે કે, જો તે દાનમાં અપાઈ ન હોય તો વકફ તેના પર દાવો કરી શકે નહીં. જૂનો કાયદો છે કે તેમાં મહિલાઓ અને અન્ય ધર્મના લોકોને સભ્ય તરીકે પ્રવેશવાની મંજૂરી નથી. સૂચિત ફેરફારમાં એવું કહેવામાં આવ્યું છે કે નામાંકિત સભ્યોમાં બે બિન-મુસ્લિમ પણ હશે.