સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે આવેલ મહાકાલી માતાજીના મંદિરે રાત્રી વીર ભગતસિંહના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
.
28 સપ્ટેમ્બર 1907માં (હાલ પાકિસ્તાન)લાયલપુર બંગા ખાતે વીર ભગતસિંહનો જન્મ થયો હતો. તેમના 117મા જન્મ દિવસની ઉજવણી હિંમતનગરના બેરણા ગામે આવેલ મહાકાલી માતાજીના મંદિરે શનિવારે રાત્રે મૌની બાબાએ અનોખી રીતે કરી હતી. મંદિરના પરિસરમાં વીર ભગતસિંહ જન્મ જયંતી અને તેમની પ્રતિકૃતિ 3 કિલો ફૂલથી બનાવી હતી અને તેને આખરી ઓપ 330 દીવાઓ પ્રગટાવી આપ્યો હતો. દીપપ્રજ્વલિત થતા વીર ભગતસિંહની પ્રતિકૃતિ જોવા મળી હતી.