પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ જેવા કે પ્રોપર્ટી કાર્ડ, વારસાઈ, આવાસ યોજના,
.
કલેક્ટરે ખાસ ભાર મૂકતા જણાવ્યું કે નલ સે જલ યોજના અને સ્વામિત્વ યોજનાના અસરકારક અમલીકરણ માટે સકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવામાં આવે. તેમણે ટીબી નિર્મૂલન અભિયાનમાં તમામ અધિકારીઓને સક્રિય સહભાગી બનવા પણ આહ્વાન કર્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ ધારાસભ્યો સી.કે.રાઉલજી, જયદ્રથસિંહ પરમાર અને ફતેસિંહ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રી-મોનસૂન કામગીરીની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.