નવરાત્રિના તહેવાર દરમિયાન અનેક પાર્ટી પ્લોટ, ગ્રાઉન્ડ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં યોજાતા ગરબામાં ફૂડ સ્ટોલ ચાલુ કરવા માટે ફરજિયાત લાઇસન્સ લેવું જરૂરી છે. જે પણ ફૂડ સ્ટોલધારક દ્વારા પોતાનો ફૂડ સ્ટોલ ઉભ
.
FSSAIની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી લાઇસન્સની અરજી કરવાની રહેશે AMCના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન અનેક પાર્ટી પ્લોટ, ગ્રાઉન્ડ સહિત વિવિધ જગ્યાએ ફૂડ સ્ટોલ ધરાવનાર વ્યક્તિએ લાઇસન્સ લેવું ફરજિયાત છે. એક પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડમાં જો અલગ અલગ ફૂડ સ્ટોલધારકો હશે, તો તમામે અલગ અલગ લાઇસન્સ લેવાનું રહેશે. ભારત સરકારની FSSAIની વેબસાઈટ ઉપરથી રજિસ્ટ્રેશન કરી લાઇસન્સ મેળવવા માટે અરજી કરવાની રહેશે જે અરજી AMC ફૂડ વિભાગ પાસે મળતાની સાથે જ તે સ્થળ ઉપર ચેકિંગ કરી અને લાઇસન્સ આપવામાં આવશે.
લાઇસન્સ વગરના ફૂડ સ્ટોલ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાશે નવરાત્રિ દરમિયાન નાના – મોટા તમામ ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે ત્યારે ઊભા કરનાર લાઇસન્સ લેવું ફરજિયાત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા નવરાત્રિ દરમિયાન વિવિધ જગ્યાએ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં ઊભા કરવામાં આવેલા ફૂડ સ્ટોલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો કોઈપણ સ્થળે ફૂડ સ્ટોલધારક દ્વારા લાઇસન્સ નહીં લેવામાં આવ્યું હોય તો તેને બંધ કરાવવાની અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ મુજબ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. આરોગ્ય બાબતે સ્વચ્છતા અને હાઈજેનિક ફૂડ જ આપવાનું રહેશે જો ક્યાંય પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે.
ગરબાની રમઝટ બાદ ખેલૈયા પેટપૂજા કરવા સ્ટોલ્સ પર જતાં હોય છે
ફૂડના સેમ્પલ લેવાની કામગીરી કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા નવરાત્રિ દરમિયાન ખાસ રાત્રિના સમયે શહેરના વિવિધ રાત્રી ખાણીપીણી બજારો અને પાર્ટી પ્લોટ તેમજ ગ્રાઉન્ડમાં આવેલા ફૂડ સ્ટોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. ખાણીપીણીની ચીજ વસ્તુઓ અને અનહાઇજનિક કન્ડિશન બાબતે તપાસ કરવામાં આવશે. ફૂડના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે. જો કોઈ જગ્યાએ બિન આરોગ્યપ્રદ અથવા તો અનહાઇજેનિક કન્ડિશન મળી આવશે તો બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.