Friday, July 11, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Life Style & Fashion

લોકો કરી રહ્યા છે 8 લાખ કરોડ રૂપિયાની પેઇનકિલર્સનું સેવન!: દર્દમાં રાહત આપનારી દવા પોતે જ બની ગઈ છે દર્દ, ડોક્ટર પાસેથી જાણો તેના જોખમો અને બચવાના પગલાં

Divya Sardar by Divya Sardar
October 28, 2024
in Life Style & Fashion
250 2
0
લોકો કરી રહ્યા છે 8 લાખ કરોડ રૂપિયાની પેઇનકિલર્સનું સેવન!:  દર્દમાં રાહત આપનારી દવા પોતે જ બની ગઈ છે દર્દ, ડોક્ટર પાસેથી જાણો તેના જોખમો અને બચવાના પગલાં
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

તમારું સંતાન ફર્સ્ટ આવવા જ ઇચ્છે છે?:  પેરેન્ટ્સ માટે લાલબત્તી છે, પોતાને આ 10 સવાલ પૂછો; 10 ભૂલો ટાળી તેને પર્ફેક્શનિઝમના રોગથી બચાવો

તમારું સંતાન ફર્સ્ટ આવવા જ ઇચ્છે છે?: પેરેન્ટ્સ માટે લાલબત્તી છે, પોતાને આ 10 સવાલ પૂછો; 10 ભૂલો ટાળી તેને પર્ફેક્શનિઝમના રોગથી બચાવો

July 11, 2025
જરાં જોજો હો… ચોમાસામાં તમને ટ્રિપ મોંઘી ન પડી જાય!:  પ્લાનિંગ પહેલાં 8 બાબતો ખાસ ધ્યાનમાં રાખો, આટલી વસ્તુઓ સાથે રાખજો, બાકી બીમાર પડશો

જરાં જોજો હો… ચોમાસામાં તમને ટ્રિપ મોંઘી ન પડી જાય!: પ્લાનિંગ પહેલાં 8 બાબતો ખાસ ધ્યાનમાં રાખો, આટલી વસ્તુઓ સાથે રાખજો, બાકી બીમાર પડશો

July 11, 2025


2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારી

  • કૉપી લિંક

જ્યારે આપણને માથાનો દુખાવો થાય છે, ત્યારે આપણે એસ્પિરિન લઈ લઈએ છીએ. જો સ્નાયુઓમાં દુખાવો હોય, તો આપણે પેરાસિટામોલ લઈએ છીએ. એ જ રીતે, પેટ અથવા દાંતના દુઃખાવાના કિસ્સામાં, વ્યક્તિ મેડિકલ સ્ટોરમાંથી પેઇન કિલર ખરીદે છે અને તેનું સેવન કરે છે. તેનાથી તાત્કાલિક રાહત પણ મળે છે. આથી જ પેઇનકિલર્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓવર-ધ-કાઉન્ટર દવાઓ પૈકીની એક છે.

આપણે જેટલી સામાન્ય રીતે પેઇનકિલર્સનો ઉપયોગ કરીએ છીએ, તેટલી જ તેની આડઅસર વધુ ખતરનાક છે. આ દવાઓ ખાસ કરીને આપણા પેટ અને કિડનીને ગંભીર અસર કરી શકે છે. તેમના વધુ પડતા અથવા અયોગ્ય ઉપયોગથી પેટમાં અલ્સર, લીવર ડેમેજ અને કિડની ડેમેજ થઈ શકે છે.

જુલાઈ, 2021માં નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વધુ પડતી પેઇનકિલર્સ લેવાથી અથવા લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી લીવર અને કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

તેથી, આજે ‘ તબિયતપાણી ‘ માં આપણે દર્દશામક દવાઓની આડઅસરો વિશે વાત કરીશું. તમે એ પણ જાણી શકશો કે-

  • પેઇનકિલર્સનું બજાર કેટલું મોટું છે?
  • પેઇનકિલર્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
  • આના કારણે કિડનીની તબિયત કેમ બગડી રહી છે?

પેઇન કિલર્સ દવાઓનું બજાર દરરોજ વધી રહ્યું છે વિશ્વના દરેક પ્રકારના બજાર પર વૈશ્વિક સંશોધન કરતી કંપની ‘માર્કેટ રિસર્ચ ફ્યુચર’ અનુસાર, પેઈનકિલર માર્કેટ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની માગમાં ઝડપી વૃદ્ધિના આધારે, એવો અંદાજ છે કે તેનું બજાર વર્ષ 2024 અને 2032 વચ્ચે 7.2% ના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામી શકે છે.

ભારતમાં પેઇનકિલર્સનું બજાર બાકીના વિશ્વ કરતાં ઝડપથી વધી રહ્યું છે. એવો અંદાજ છે કે તે 2024 અને 2029 ની વચ્ચે 9.21% ના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામી શકે છે.

પેઇનકિલર્સ શું છે? તબીબી ભાષામાં પેઇન કીલર્સને એનેલ્જેસિક કહેવામાં આવે છે.આ એવી દવાઓ છે જે પીડાને નિયંત્રિત કરવામાં અને તાવ ઘટાડવામાં મદદ કરે છે. તેમાંથી કેટલીક દવાઓ એવી પણ છે જે સોજો ઘટાડી શકે છે. તે મુખ્યત્વે બે કેટેગરીમાં વિભાજિત છે-

  • નોનસ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ (NSAIDs)
  • ઓપિઓઇડ્સ

આ દવાઓ કેવી રીતે કામ કરે છે?

  • NSAIDs શરીના દુખાવાના અને દાહના સિગ્નલોને અવરોધે છે. તેથી, આ ખાધા પછી, દર્દનો અનુભવ બંધ થઈ જાય છે.
  • ઓપિયોઇડ્સ નર્વસ સિસ્ટમને સીધું નિયંત્રિત કરે છે. આ મગજના રીસેપ્ટર્સને બ્લોક કરે છે. જેના કારણે શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થાય તેવો સંદેશ મગજ સુધી પહોંચતો નથી. તેથી, આ ખાધા પછી, પીડાની લાગણી બંધ થઈ જાય છે.

પેઇનકિલર્સ આરોગ્યને શું નુકસાન પહોંચાડે છે? ડૉ.ગણેશ શ્રીનિવાસ કહે છે કે સૌથી પહેલા આપણા માટે એ સમજવું જરૂરી છે કે કોઈપણ દવા સંપૂર્ણપણે જોખમ મુક્ત નથી. કારણ કે પેઇનકિલર્સ આપણા મગજના રીસેપ્ટર્સ અને નર્વસ સિસ્ટમ સહિત સમગ્ર શરીરને અસર કરે છે, તેથી તેનું નુકસાન પણ વધારે છે. ચાલો ગ્રાફિકમાં જોઈએ કે તેમની કઈ આડઅસર થઈ શકે છે.

કિડનીને સૌથી વધુ નુકસાન થાય છે ડો.ગણેશ શ્રીનિવાસ કહે છે કે પેઈનકિલરથી સૌથી વધુ નુકસાન કિડનીને થાય છે. આવું થાય છે કારણ કે પેઇનકિલર્સ કિડનીમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. જેના કારણે કિડનીની કામગીરી પર અસર થાય છે. આ સિવાય કિડનીની પેશીઓને પણ નુકસાન થાય છે. આખરે, આ દવાઓને ફિલ્ટર કરીને શરીરમાંથી દૂર કરવાનું કામ કિડનીનું છે. તે દરમિયાન પણ આ દવાઓ કિડની પર અસર કરે છે. આ જ કારણ છે કે વધુ પડતી પેઇનકિલર્સનું સેવન કરવાથી કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે.

પેઇન કિલરને લીધે કિડની ફેલ થવાના 5% કેસ અમેરિકન નેશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર, પેઇનકિલર્સનો અયોગ્ય ઉપયોગ કિડની સહિત સમગ્ર શરીરમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. દર વર્ષે ક્રોનિક કિડની ફેલ્યરના 3% થી 5% નવા કેસ આ પેઇનકિલર્સના વધુ પડતા ઉપયોગને કારણે થાય છે. એકવાર કોઈને કિડનીની બીમારી થઈ જાય, આ દવાઓનો સતત ઉપયોગ સ્થિતિને વધુ ખરાબ બનાવે છે.

પેઇનકિલર્સ દુશ્મન નથી ડો.ગણેશ શ્રીનિવાસ કહે છે કે પેઈનકિલર આપણી પીડા ઓછી કરવા અને રાહત આપવા માટે બનાવવામાં આવે છે. જો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ આનું સેવન કાળજીપૂર્વક કરવામાં આવે તો તેનાથી થતા નુકસાનને ઘટાડી શકાય છે.

ડૉ. ગણેશ શ્રીનિવાસ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાઓનું પાલન કરીને પેઇનકિલર્સની આડઅસર ઘટાડી શકાય છે:

ડોઝની સૂચનાઓનું પાલન કરો: જો તમે પેઇન કિલર લેતા હોવ, તો હંમેશા સૂચવેલ અથવા ભલામણ કરેલ ડોઝને અનુસરો. જો તમને સતત દુખાવાની સમસ્યા રહેતી હોય તો જાતે જ દવાઓ લેવાને બદલે ડૉક્ટરની સલાહ લો.

બને તેટલો ઓછો ઉપયોગ કરોઃ પેઇનકિલર્સનો બને તેટલો ઓછો ઉપયોગ કરો. જો દુખાવો ચાલુ રહે, તો ડૉક્ટરની સલાહ લો અને અંતર્ગત સમસ્યાની સારવાર કરો.

વિકલ્પો શોધો: પીડાના કારણને આધારે, તેને ઘટાડવા માટે ઘણા ઓપ્શન હોઈ શકે છે. આમાં કોઈપણ પ્રકારની દવા લેવાની જરૂર નથી. શારીરિક ઉપચાર, એક્યુપંક્ચર અથવા માઇન્ડફુલનેસ જેવી વસ્તુઓ મધ્યમ પીડામાંથી રાહત આપી શકે છે.

નિયમિત તપાસ કરાવો: જો તમે કોઈપણ તબીબી અથવા શારીરિક સ્થિતિને કારણે નિયમિતપણે પેઇનકિલર્સનું સેવન કરો છો, તો પછી તમારા પેટ અને કિડનીની નિયમિત તપાસ કરાવતા રહો. આનાથી ખબર પડશે કે આ દવાઓ કિડની અને પેટ પર કેટલી અસર કરી રહી છે. તે મુજબ, ડૉક્ટર તેમની માત્રા બદલી શકે છે.

આલ્કોહોલથી દૂર રહોઃ જો કોઈ વ્યક્તિ પેઈનકિલરની સાથે આલ્કોહોલ પીતી હોય તો તેનાથી પેટમાં અલ્સર અને કિડનીને નુકસાન થવાનું જોખમ વધી શકે છે. તેનાથી લીવર ડેમેજ થવાનું જોખમ પણ વધી જાય છે. તેથી, આ સમયગાળા દરમિયાન દારૂથી દૂર રહો.



Source link

Tags: AspirinKidney DamageKidney LiverLiver DamagePain Killer Side EffectsPain KillersParacetamolSide Effects

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

Editor’s View: 75 વર્ષે મોદીને બ્રેક મારવા સંઘનો સંકેત?:  ભાગવત બોલ્યા, શૉલ ઓઢાડે એટલે સમજો ઉંમર થઈ ગઈ, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી મામલે RSS-ભાજપમાં મતભેદની ચર્ચા

Editor’s View: 75 વર્ષે મોદીને બ્રેક મારવા સંઘનો સંકેત?: ભાગવત બોલ્યા, શૉલ ઓઢાડે એટલે સમજો ઉંમર થઈ ગઈ, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી મામલે RSS-ભાજપમાં મતભેદની ચર્ચા

July 11, 2025
કાજોલે અજયના ‘ફિંગર ડાન્સ’ પર કટાક્ષ કર્યો:  એક્ટ્રેસે કહ્યું- તે એકમાત્ર વ્યક્તિ છે જે પોતાની આંગળીઓથી નાચી શકે છે, અજયે કહ્યું- આ સ્ટેપ મારા માટે મુશ્કેલ હતા

કાજોલે અજયના ‘ફિંગર ડાન્સ’ પર કટાક્ષ કર્યો: એક્ટ્રેસે કહ્યું- તે એકમાત્ર વ્યક્તિ છે જે પોતાની આંગળીઓથી નાચી શકે છે, અજયે કહ્યું- આ સ્ટેપ મારા માટે મુશ્કેલ હતા

July 11, 2025
અદાણી ગ્રુપના બબ્બે ચાર્ટર જામનગરમાં ઉતર્યા!:  ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવે જામસાહેબ સાથે મુલાકાત કરી, શહેરમાં નવા પ્રોજેક્ટની અટકળોને વેગ મળ્યો – Jamnagar News

અદાણી ગ્રુપના બબ્બે ચાર્ટર જામનગરમાં ઉતર્યા!: ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવે જામસાહેબ સાથે મુલાકાત કરી, શહેરમાં નવા પ્રોજેક્ટની અટકળોને વેગ મળ્યો – Jamnagar News

July 11, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • Editor’s View: 75 વર્ષે મોદીને બ્રેક મારવા સંઘનો સંકેત?: ભાગવત બોલ્યા, શૉલ ઓઢાડે એટલે સમજો ઉંમર થઈ ગઈ, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી મામલે RSS-ભાજપમાં મતભેદની ચર્ચા
  • કાજોલે અજયના ‘ફિંગર ડાન્સ’ પર કટાક્ષ કર્યો: એક્ટ્રેસે કહ્યું- તે એકમાત્ર વ્યક્તિ છે જે પોતાની આંગળીઓથી નાચી શકે છે, અજયે કહ્યું- આ સ્ટેપ મારા માટે મુશ્કેલ હતા
  • અદાણી ગ્રુપના બબ્બે ચાર્ટર જામનગરમાં ઉતર્યા!: ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવે જામસાહેબ સાથે મુલાકાત કરી, શહેરમાં નવા પ્રોજેક્ટની અટકળોને વેગ મળ્યો – Jamnagar News

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.
Top Up PayPal BCA Tenda kerucut malang Home Lift

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.
Top Up PayPal BCA Tenda kerucut malang Home Lift

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?