2 કલાક પેહલા
- કૉપી લિંક
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ યોગ ગુરુ બાબા રામદેવની કંપની ‘પતંજલિ ફૂડ્સ’ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. FSSAIએ પતંજલિને લાલ મરચાના પાવડરની આખી બેચ પરત ખેંચી લેવા નો નિર્દેશ આપ્યો છે.
પતંજલિ દ્વારા સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપવામાં આવી છે. FSSAIના આ નિર્ણય પાછળનું કારણ એ હતું કે લાલ મરચું ખાદ્ય ધોરણોને પૂર્ણ કરતું નથી. જો કે, FSSAI એ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે લાલ મરચાના પાવડરમાં કોઈ ભેળસેળ મળી છે કે નહીં.
અવારનવાર ભેળસેળયુક્ત લાલ મરચાના પાઉડરને લગતા સમાચારો પ્રકાશમાં આવે છે. ભેળસેળયુક્ત મરચાંનો પાઉડર બજારમાં સસ્તા ભાવે મળે છે, જે એકદમ વાસ્તવિક લાગે છે. જો કે, તેનો ઉપયોગ ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી અસલી લાલ મરચાંના પાવડરને ઓળખવો જરૂરી બની જાય છે.
તો આજે કામના સમાચારમાં આપણે વાત કરીશું ભેળસેળયુક્ત લાલ મરચાના પાવડર વિશે. તમે એ પણ જાણી શકશો કે-
- આનાથી કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે?
- ઘરમાં ભેળસેળયુક્ત મરચાંના પાવડરની ઓળખ કેવી રીતે કરવી?
નિષ્ણાત: ડૉ. અમૃતા મિશ્રા, આહાર નિષ્ણાત, નવી દિલ્હી
પ્રશ્ન- FSSAIએ પતંજલિને લાલ મરચાંના પાઉડરની બેચ પાછી ખેંચવાનો નિર્દેશ કેમ આપ્યો? જવાબ- પતંજલિનો લાલ મરચું પાવડર FSSAI ના ખાદ્ય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરતો નહોતો. આમાં ક્વોલિટી લેવલ પર વાંધો દર્શાવાયો હતો. આ પછી, પતંજલિએ તેનો 4 લાખ ટન લાલ મરચાનો પાવડર (200 ગ્રામ પેક) બજારમાંથી પાછો ખેંચવાનો નિર્ણય કર્યો. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ અસ્થાનાએ એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
પ્રશ્ન- લાલ મરચાના પાવડરમાં કેવા પ્રકારની ભેળસેળ થઈ શકે છે? જવાબ- FSSAI અનુસાર, ભેળસેળયુક્ત લાલ મરચાંના પાવડરમાં પીસેલી ઈંટ, કૃત્રિમ રંગ, રેતી, લાકડાનોનો વહેર અને સૂકા ટામેટાંની છાલ જેવી વસ્તુઓની ભેળસેળ થઈ શકે છે.
પ્રશ્ન- ભેળસેળવાળું લાલ મરચું ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે? જવાબ- લાલ મરચું સેંકડો વર્ષોથી આપણા રસોડાનો એક ભાગ છે. કઠોળ અથવા શાકભાજીમાં સ્વાદ ઉમેરવા માટે તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, પરંતુ બદલાતા સમય સાથે, આખા લાલ મરચાની જગ્યા લાલ મરચાના પાવડરે લઈ લીધી છે.
આજે બજારમાં મરચાંનો છૂટક પાવડર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તે અસલી મરચાંના પાવડર જેવો જ દેખાય છે. જો કે, ઘણી વખત ભેળસેળ કરનારાઓ તેમાં કૃત્રિમ રંગ, રેતી અને સ્ટાર્ચ જેવી વસ્તુઓ ઉમેરી દે છે. તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
નીચે આપેલા ગ્રાફિક પરથી સમજો કે ભેળસેળયુક્ત લાલ મરચાના પાવડરને કારણે કેવા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે-

પ્રશ્ન- લાલ મરચાંનો પાવડર વાસ્તવિક છે કે નહીં તે આપણે ઘરે કેવી રીતે ઓળખી શકીએ? જવાબ- અસલી લાલ મરચું પાવડર ઓળખવા માટે કોઈપણ લેબમાં ટેસ્ટ કરાવવાની જરૂર નથી. તમે આ સરળતાથી ઘરે જ શોધી શકો છો. નીચે આપેલા ગ્રાફિક પરથી આને સમજો-

પ્રશ્ન- ભોજનમાં લાલ મરચાના પાવડરનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય છે? જવાબ- સામાન્ય રીતે લાલ મરચાના પાવડરનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને મસાલેદાર બનાવવા માટે થાય છે. જો કે તેનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ પડતું લાલ મરચું ખાવાથી પાચનક્રિયા બગડી શકે છે, જેનાથી પેટમાં બળતરા, એસિડિટી અને અલ્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
આ સિવાય લાલ મરચાના પાવડરમાં કેપ્સેસિન હોય છે, જે એક સંયોજન છે. તેના કારણે જ લાલ મરચાનો સ્વાદ મસાલેદાર હોય છે. Capsaicin કેટલાક લોકોનું બ્લડ પ્રેશર વધારી શકે છે. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ તેને વધુ પડતું ખાવાનું ટાળવું જોઈએ.

પ્રશ્ન- ઘરે શુદ્ધ લાલ મરચાનો પાવડર કેવી રીતે બનાવવો? જવાબ- જો તમે બજારમાં ભેળસેળવાળા લાલ મરચાના પાવડરથી બચવા માગતા હો અને ઘરે જ શુદ્ધ લાલ મરચાનો પાવડર બનાવવા માગો છો, તો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.
- સૌથી પહેલા સારી ક્વોલિટીના સૂકા લાલ મરચાં ખરીદો.
- આ પછી, મરચામાંથી દાંડીને દૂર કરો.
- સૂકા મરચાને મિક્સર અથવા ગ્રાઇન્ડરમાં બારીક પીસી લો.
- પીસતી વખતે માસ્ક અવશ્ય પહેરો કારણ કે મરચાની ડસ્ટ અને ગંધ આંખો અને નાકમાં બળતરા કરી શકે છે.
- જો તમને એકસરખો અને ઝીણો પાવડર જોઈતો હોય તો તેને ચાળણી દ્વારા ગાળી લો. બાકીના જાડા ભાગને ફરીથી ગ્રાઇન્ડ કરો.
- આ પછી, તૈયાર પાવડરને સ્વચ્છ અને સૂકા હવાચુસ્ત પાત્રમાં રાખો.
- તેને સૂકી જગ્યાએ રાખો જેથી પાવડર લાંબા સમય સુધી તાજો રહે.
- તે માર્કેટ પાઉડર કરતાં વધુ તાજો અને સલામત છે.
પ્રશ્ન: ખોરાકમાં લાલ મરચાંનો પાવડર કેટલી માત્રામાં વાપરવો જોઈએ? જવાબ- ડૉ. અમૃતા મિશ્રા કહે છે કે લાલ મરચાના પાવડરની માત્રા મસાલાને પચાવવાની તમારી ક્ષમતા પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે, એક દિવસમાં અડધા ચમચીથી વધુ લાલ મરચું ન ખાવું જોઈએ. તે જ સમયે, જો તમે બાળકો અને વૃદ્ધ લોકો માટે ભોજન બનાવી રહ્યા છો, તો માત્ર એક ચપટી લાલ મરચું ભોજનમાં ઉમેરવું જોઈએ. જો કે લાલ મરચાને બદલે લીલા મરચાનો ઉપયોગ ખોરાકમાં કરવો વધુ ફાયદાકારક છે.