2 કલાક પેહલા
- કૉપી લિંક
મહાકુંભને કારણે ભગવાન શિવની નગરી કાશીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું. 45 દિવસમાં 4.32 કરોડ લોકો વારાણસી પહોંચ્યા. મહાશિવરાત્રિ પર, 7 શૈવ અખાડાઓના સાધુ-સંતો ગદા અને તલવારો લહેરાવતા નીકળ્યા હતા. બાબા વિશ્વનાથનો જળાભિષેક કર્યો. ભક્તો પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી.
શિવની શોભાયાત્રા નીકળી. દરરોજ સરેરાશ 5 લાખ ભક્તો બાબા વિશ્વનાથનાં દર્શન કર્યાં. મંદિરની 5 કિમીની ત્રિજ્યામાં ભક્તોની લાઇનો લાગી હતી. છેલ્લા 24 કલાકમાં 25 લાખ શ્રદ્ધાળુ કાશી પહોંચ્યા.
ઉપરના ફોટા પર ક્લિક કરીને જુઓ દિવ્ય ભાસ્કરની ખાસ VIDEO સ્ટોરી……