19 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેપાળમાં નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 112થી પણ વધુ લોકોના મોત થયા છે. જ્યારે 80થી પણ વધુ લોકો ગુમ છે.સમગ્ર નેપાળમાં 63 જગ્યાએ મુખ્ય હાઈવે બંધ થઈ ગયા છે. પૂર્વી અને મધ્ય નેપાળનો મોટો ભાગ શુક્રવારથી પાણીમાં ગરકાવ થયો છે. સરકારે પરિસ્થિતિને જોતા નેપાળની તમામ સ્કૂલ 3 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે હવે બિહાર ઉપર પણ પુરનું સંકટ મંડરાઈ રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેઓએ છેલ્લા 40-45 વર્ષોમાં કાઠમાંડુ ખીણમાં આટલું વિનાશક પૂર ક્યારેય નથી જોયું.
નેપાળમાં ભારે તબાહીના દ્રશ્યોની તસવીરો…
નેપાળમાં આંખના પલકારે પુલ પાણીમાં તણાયો.
નેપાળમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજધાની કાઠમંડુ સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. અત્યાર સુધીમાં 112 થી વધુ લોકોના મોત થયા છે. લગભગ 80થી વધુ લોકો ગુમ છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
વરસાદને કારણે નેપાળમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. કાઠમંડુમાં ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 37 લોકોના મોત થયા છે. લગભગ 40 લાખ લોકો અસરગ્રસ્ત છે. હિમાલયમાં વસેલા આ દેશમાં જનજીવન થંભી ગયું છે.
બચાવકર્મીઓ લોકોને બચાવવામાં વ્યસ્ત, પરંતુ મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિના કારણે સમસ્યાઓ ઊભી થઈ રહી છે. વહીવટીતંત્રે લોકોને તેમના બાળકોને બહાર જવાથી રોકવા માટે કહ્યું છે. વરસાદને કારણે ઘણી શાળા અને યુનિવર્સિટીની ઇમારતોને પણ નુકસાન થયું છે.
કાઠમંડુમાં 12.7 ઈંચ વરસાદ નોંધાયો છે. બાગમતી નદી ખતરાના નિશાનથી સાત ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. 29 સપ્ટેમ્બર 2024ના રોજ થોડી રાહત છે, પરંતુ ખતરો દૂર થયો નથી.
પૂર પ્રભાવિત વિસ્તારોમાં તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
પૂરની તબાહીથી નેપાળ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે.
પૂરના કારણે ઝૂંપડપટ્ટી વાળો વિસ્તાર વધારે પ્રભાવિત છે.
રેસ્ક્યુ ટીમ ખડેપગે.
પૂરના પાણીથી જનજીવન થંભી ગયું છે.
નદીઓ ઉછાળ સાથે વહી રહીં છે.