19 મિનિટ પેહલા
- કૉપી લિંક
આવતી કાલથી ફાગણ મહિનાની શરૂ થઈ રહી છે, આ મહિનો 29 માર્ચે સમાપ્ત થશે. ફાગણ મહિનામાં રંગનો તહેવાર એટલે કે હોળી આવે છે. આ વખતે 13 માર્ચે હોલિકા દહન અને 14 માર્ચે ધૂળેટી રહેશે. આ મહિને વસંત ઋતુ હશે. આ મહિનામાં વસંત ઋતુની શરૂઆત થવાથી હ્રદય-દિમાગમાં પોઝિટિવ વિચાર સાથે ઉત્સાહ અને ઉમંગ પણ જળવાયેલો રહે છે. સાથે જ, વાતાવરણમાં પરિવર્તનનો સંધિકાળ થવાથી આ મહિને ખાનપાનમાં નાના-મોટા ફેરફાર કરવાથી બીમારીઓથી બચી શકાય છે.
આઠ દિવસના હોળાષ્ટકઃ લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો નહીં થાય હિન્દુ કેલેન્ડર અનુસાર, આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચ 2025થી શરૂ થશે અને 13 માર્ચ 2025ના રોજ હોલિકા દહન સાથે સમાપ્ત થશે.
હોળાષ્ટક 8 દિવસના હોય છે. જેમાં શુભ કામ કરવામાં આવતા નથી. પૌરાણિક કથા પ્રમાણે કામદેવ દ્વારા ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાના કારણે શિવજીએ ફાગણ સુદ આઠમના દિવસે કામદેવને ભસ્મ કર્યા હતાં. બીજી એક કથા પ્રમાણે રાજા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે 8 દિવસમાં અનેક યાતનાઓ આપી હતી, એટલે હોળાષ્ટક સમયને લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન સમારોહ જેવા શુભ કાર્યો કરવા માટે અશુભ માનવામાં આવે છે.
આ મહિના સાથે જોડાયેલી ખાસ વાતો 1. આ મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિએ હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. જે ઉત્સવનું ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક મહત્ત્વ પણ છે. આ ઉત્સવ આનંદ, પ્રેમ, સદભાવનાનો પર્વ છે. જે ભાવનાઓના સ્તરે એક-બીજાના રંગમાં રંગાઈ જવાનો અવસર છે.
2. લિંગપુરાણમાં હોલિકા ઉત્સવને ફાલ્ગુનિકા નામે ઓળખવામાં આવે છે. જે બાળકોની ક્રીડાઓથી પૂર્ણ અને સુખ સમૃદ્ધિ આપનાર જણાવવામાં આવે છે.
3. આ પ્રકારે વરાહપુરાણમાં પણ આ ઉત્સવને પટવાસ વિલાસીની એટલે ચૂર્ણયુક્ત ખેલ અને લોક કલ્યાણ કરનાર જણાવવામાં આવે છે.
બીમારીઓથી બચવા માટે ફાગણમાં શિવપૂજા ધર્મગ્રંથોમાં ફાગણને બીમારીઓથી છુટકારો મેળવવાનો મહિનો માનવામાં આવે છે. માન્યતા છે કે રોગમાંથી મુક્તિ મેળવવા માટે ફાગણ મહિનો ઉત્તમ છે. આ મહિને ભોળાનાથને સફેદ ચંદન અર્પણ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે દેવતાઓને અબીર અને ગુલાલ અર્પણ કરવું જોઈએ.

દાનનું ખાસ મહત્ત્વ ફાગણ મહિનામાં દાનનું વધારે મહત્ત્વ છે. આ મહિનામાં પોતાની ક્ષમતા પ્રમાણે ગરીબ લોકોને દાન અને પિતૃઓને નિમિત્ત તર્પણ કરવું જોઈએ. ફાગણ મહિનામાં શુદ્ધ ઘી, તેલ, સરસિયાનું તેલ, સિઝનલ ફળ વગેરેનું દાન ખૂબ જ સારું ફળ પ્રદાન કરે છે.
ભગવાનની વાર્તાઓ વાંચો અને સાંભળો અને મનન કરો
ફાગણ મહિનામાં ભગવાનની વાર્તાઓ વાંચવાની અને સાંભળવાની પરંપરા છે. આ દિવસોમાં, વ્યક્તિએ પોતાની સુવિધા મુજબ શિવપુરાણ, વિષ્ણુપુરાણ અને શ્રીમદ્ ભાગવત કથાના અધ્યાયનો પાઠ કરવો જોઈએ. શાસ્ત્રો વાંચો અને તેમના ઉપદેશોને તમારા જીવનમાં લાગુ કરવાનો સંકલ્પ કરો. આમ કરવાથી જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.
ફાગણ મહિનામાં નિયમિત ધ્યાન કરવું જોઈએ. જો તમે દરરોજ સવારે શાંત જગ્યાએ બેસીને ધ્યાન કરો છો, તો નકારાત્મક વિચારોનો અંત આવશે અને સકારાત્મકતા વધશે. ફાલ્ગુન મહિનામાં ન તો ખૂબ ગરમી હોય છે અને ન તો ખૂબ ઠંડી, આ મહિનામાં હવામાન ખૂબ જ ખુશનુમા હોય છે, આવા હવામાનમાં ધ્યાન કરવાથી એકાગ્રતા જળવાઈ રહે છે, મન આમતેમ ભટકતું નથી, ધ્યાનનો સંપૂર્ણ લાભ મળે છે.