નવી દિલ્હી3 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક વર્ષ પહેલા, 13 ફેબ્રુઆરી 2024ના રોજ, સરકારે 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજના શરૂ કરી હતી.
PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ, 10 માર્ચ, 2025 સુધીમાં દેશભરમાં 10.09 લાખ ઘરોમાં સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. રિએન્યુએબલ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ તેમના X હેન્ડલ પર આ માહિતી આપી હતૂ. તેઓએ લખ્યું, ભારતે સોલર ઉર્જામાં એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાએ દેશભરમાં 10 લાખ ઘરોને સોલર ઉર્જાથી સશક્ત બનાવ્યા છે.
PM સૂર્ય ઘર યોજના એક વર્ષ પહેલા શરૂ થઈ હતી
એક વર્ષ પહેલા 13 ફેબ્રુઆરી 2024ના રોજ, સરકારે 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે આ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત 1 કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
આ યોજના હેઠળ, છત ઉપર સોલાર પેનલ લગાવનારા એક કરોડ પરિવારો પણ વાર્ષિક 15 હજાર રૂપિયાની આવક મેળવે છે. આ યોજના માટે 1 કરોડથી વધુ લોકોએ અરજી કરી છે.
અત્યાર સુધીમાં આ યોજના 10 લાખનો આંકડો પાર કરી ચૂકી છે, તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ…
સોલાર પ્લાન્ટ લગાવવા માટે કેટલો ખર્ચ થશે?
આ યોજના હેઠળ, દરેક પરિવાર માટે 2 કિલોવોટ સુધીના સોલાર પ્લાન્ટની કિંમતના 60% રકમ સબસિડી તરીકે તેમના ખાતામાં જમા કરવામાં આવશે. જો કોઈ 3 KW પ્લાન્ટ લગાવવા માંગે છે, તો તેને 1 KW પ્લાન્ટ પર વધારાની 40% સબસિડી મળશે.
૩ કિલોવોટનો પ્લાન્ટ લગાવવા માટે લગભગ 1.45 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તેમાંથી સરકાર 78 હજાર રૂપિયાની સબસિડી આપશે. બાકીના 67,000 રૂપિયા માટે સરકારે સસ્તા બેંક લોનની વ્યવસ્થા કરી છે. બેંકો રેપો રેટ કરતાં ફક્ત 0.5% વધુ વ્યાજ વસૂલ કરી શકશે.
સોલાર પ્લાન્ટ લગાવવા માટે શું કરવું પડશે?
સરકારે આ યોજના માટે એક નેશનલ પોર્ટલ શરૂ કર્યું છે. તેને ઇન્સ્ટોલ કરવા માટે, તમે ગ્રાહક પોર્ટલની મુલાકાત લઈને અરજી કરી શકો છો. અહીં, તમારે તમારા ગ્રાહક નંબર, નામ, સરનામું અને તમે જે કેપિસિટીનો પ્લાન્ટ લગાવવા માંગો છો તેની વિગતો ભરવાની રહેશે.
ડિસ્કોમ કંપનીઓ આ વિગતોની ચકાસણી કરશે અને પ્રક્રિયા આગળ ધપાવશે. સોલાર પેનલ લગાવનારા ઘણા વિક્રેતાઓ પહેલાથી જ પોર્ટલ પર નોંધાયેલા છે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ વિક્રેતા પસંદ કરી શકો છો. પેનલ ઇન્સ્ટોલ કર્યા પછી, ડિસ્કોમ નેટ મીટરિંગ ઇન્સ્ટોલ કરશે.
યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- સરનામાનો પુરાવો
- વીજળી બિલ
- આવકનું પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- રેશન કાર્ડ
સોલાર પ્લાન્ટ લગાવ્યા પછી સબસિડી કેવી રીતે મળશે?
એકવાર સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ થઈ જાય અને ડિસ્કોમ નેટ મીટરિંગ ઇન્સ્ટોલ કરશે, પછી તેનો પુરાવો અને સર્ટિફિકેટ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આ પછી, સરકાર સબસિડીની સંપૂર્ણ રકમ DBT હેઠળ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરશે.
શું આ યોજના હેઠળ ૩૦૦ યુનિટ મફત વીજળી મળશે?
1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4-5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં, જો તમે 3 KW પ્લાન્ટ લગાવો છો, તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે દર મહિને 450 યુનિટ.
તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પરત જતી રહેશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકાર કહે છે કે આ વીજળીથી તમે દર વર્ષે લગભગ 15,000 રૂપિયા કમાઈ શકો છો.