12 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે બુધવારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો બીજો દિવસ છે. અયોધ્યામાં મંગળવારથી ભગવાન શ્રીરામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ ગઈ છે. રામલલ્લાની નવનિર્મિત પ્રતિમાને આજે રામજન્મભૂમિ પરિસરમાં લાવવામાં આવશે. પરિસરની મુલાકાત લીધા બાદ તેને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ સાથે કલશ યાત્રા કાઢવામાં આવશે.
પ્રખ્યાત અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિની પહેલીવાર અયોધ્યામાં 55 કલાકારો સાથે ખાસ પરફોર્મન્સ આપશે. આ પ્રસ્તુતિ રામાયણ અને મા દુર્ગાની વિશેષ ઘટના પર આધારિત હશે. છેલ્લા 70 વર્ષથી પૂજાતી હાલની મૂર્તિને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે.
મંગળવારે 3 કલાક સુધી પ્રાયશ્ચિત પૂજા થઈ હતી. ત્યારબાદ મુખ્ય યજમાન ડો. અનિલ મિશ્રાએ સરયુમાં સ્નાન કર્યું. આ સાથે મૂર્તિ નિર્માણ સ્થળનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. પસંદ કરેલી મૂર્તિનું પણ શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આ પછી, રામલલ્લાની આંખે પાટા બાંધવામાં આવ્યા છે, જે 22 જાન્યુઆરીએ ખુલશે.
22 જાન્યુઆરીએ રામલલ્લા અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે.
લાઈવ અપડેટ્સ
12 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીએમ મોદી જટાયુની મૂર્તિનું પૂજન કરશે
પીએમ નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિર પરિસરમાં બનેલી જટાયુની મૂર્તિની પૂજા કરશે. આ પ્રતિમાની સ્થાપના ખાસ કરીને મંદિર આંદોલનમાં પોતાનું બલિદાન આપનારા શહીદોની યાદમાં કરવામાં આવી હતી. કારસેવામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો પણ પૂજા સમયે હાજર રહેશે. તે જ દિવસે મોદી મંદિર નિર્માણમાં લાગેલા મજૂરો સાથે પણ વાત કરશે. પીએમ મોદી શુક્રવારથી યમ નિયમ હેઠળ અનુષ્ઠાન કરી રહ્યા છે.
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
હૈદરાબાદના એક વ્યક્તિએ 1 હજાર 265 કિલો લાડવા બનાવ્યા
14 મિનિટ પેહલા
- કૉપી લિંક
NCP નેતા શરદ પવારે કહ્યું- પ્રાણપ્રતિષ્ઠા પછી દર્શન કરવા માટે જઈશ
17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટ્રસ્ટે રામલલ્લાના વસ્ત્ર CM યોગીને સોંપ્યા
હેરિટેજ એન્ડ હેન્ડવીવિંગ રિવાઈવલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા રામલલ્લાના વસ્ત્ર મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમમાં ટ્રસ્ટી ભૈયા જી જોશી અને અન્ય ઘણા સભ્યો પણ હાજર રહ્યા હતા. ટ્રસ્ટે રામલલ્લાનાં આ વસ્ત્ર 12 લાખ ભક્તોની મદદથી બનાવ્યા છે.
19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાજપ નેતાએ પ્રાણપ્રતિષ્ઠા માટે 4 લાખ લાડુ તૈયાર કર્યા
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રયાગરાજથી શ્રીરામ ચરણ પાદુકાઓ અયોધ્યા પહોંચી