1 કલાક પેહલા
- કૉપી લિંક
રવીન્દ્રનાથ ટાગોરની એક વાર્તા છે ‘સમાપ્તિ’. આ વાર્તામાં એક છોકરો છે અમૂલ્ય. એક શાંત, ગંભીર છોકરો જેની આંખો પર ચશ્મા છે અને તે આખો દિવસ પુસ્તકો વાંચવામાં જ રચ્યો-પચ્યો રહે છે અને એક છોકરી મીનુ છે. તે શારીરિક રીતે યુવાન બની છે, પરંતુ મનથી હજુ પણ બાળક છે. છોકરી આખો દિવસ નાના બાળકો સાથે ખેતરોમાં ફરતી, ગામના બગીચામાં કેરીઓ તોડતી, માછીમારી કરતી, પક્ષી નિરીક્ષણ કરતી અને વટેમાર્ગુઓને પરેશાન કરતી.
આ પછી બંને લગ્ન કરી લે છે અને જેમ થાય છે તેમ, મીનુની પરિપક્વતાનો અભાવ અને બાલિશ ક્રિયાઓને કારણે સંબંધોમાં અંતર આવે છે અને તિરાડ ઊભી થાય છે. પરંતુ અમૂલ્યની પરિપક્વતા અને સમજદારી બધું વસ્તુ સંભાળી લે છે
પરસ્પર વાદ-વિવાદમાં વારંવાર સાંભળવા મળે છે – ‘બાળક જેવું વર્તન ન કરો’
આ મામલો માત્ર ચર્ચા પૂરતો સીમિત નથી. રિલેશનશિપ કોચ ડૉ. અંજલિ કહે છે કે ‘જ્યારે પાર્ટનર્સ બાળકો જેવું વર્તન કરે અને અપરિપક્વતા બતાવે ત્યારે સંબંધમાં આવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ આદતો સંબંધના મૂળિયાને પોલાં કરી શકે છે.
જીવનમાં ક્યારે બાળપણ ઉંબરો ઓળંગી જાય છે અને યુવાની ક્યારે આવે છે તેની પણ ખબર પડતી નથી. જે બાળકો મિત્રો સાથે નિશ્ચિંત બની મસ્તી કરતા હતા તેઓ અચાનક પતિ-પત્ની બની જાય છે. આવી સ્થિતિમાં, બેદરકારી અને તે ‘બાળકો જેવી પ્રવૃત્તિઓ’ રાતોરાત ટાળી શકાતી નથી.
પરંતુ જો પાર્ટનર્સ ભાવનાત્મક રીતે મજબૂત અને સંબંધ માટે માનસિક રીતે તૈયાર ન હોય તો સંબંધને જાળવી રાખવા અને તેને આગળ લઈ જવામાં મુશ્કેલી થઈ શકે છે. સંબંધનો દુઃખદ અંત પણ આવી શકે છે.
તેથી, આજે ‘રિલેશનશિપ’ કોલમમાં, અમે સંબંધોમાં 5 બાલિશ આદતો વિશે વાત કરીશું અને જાણીશું કે સંબંધમાં પરિપક્વતા લાવવા માટે કઈ આદતોથી દૂર રહેવાની જરૂર છે અને કઈ આદતો અપનાવવાની જરૂર છે…
શું છે ઈમોશનલ ઇમેચ્યોરિટી, જે સંબંધો માટે છે જોખમી
‘સાયકોલોજી ટુડે’ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે વ્યક્તિની ઉંમર અને તેની વિચારવાની ક્ષમતામાં તફાવત હોય છે, એટલે કે તે તેની ઉંમરની સરખામણીમાં પરિપક્વતા દર્શાવવામાં અસમર્થ હોય છે, તો આવી સ્થિતિને ભાવનાત્મક અપરિપક્વતા કહેવામાં આવે છે.
મનોચિકિત્સક કેટી ગિલિસના જણાવ્યા અનુસાર, ઈમોશનલ ઇમેચ્યોરિટી ધરાવતા જીવનસાથીને આ આદતો દ્વારા ઓળખી શકાય છે. આ સાથે જ તમારા જીવનસાથી અથવા ઘરની કોઈપણ વ્યક્તિની ઈમોશનલ ઇમેચ્યોરિટીને દૂર કરવા માટે ઘણી ટીપ્સ પણ છે.
‘ઈમોશનલ ઇમેચ્યોરિટી’નું સૌથી મોટું લક્ષણ સહાનુભૂતિનો અભાવ છે
જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે. દૂધ માટે રડતી વખતે તે વિચારતો નથી કે તેની માતા કેવી હાલતમાં છે.
કુદરતે તેમને આ રીતે બનાવ્યું છે. આ આદત તેના અસ્તિત્વ માટે જરૂરી છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ બાળકો પોતાની ચિંતાઓ જ છોડી દે છે અને આસપાસના વાતાવરણને સમજીને નિર્ણયો લેવાનું શરૂ કરે છે.
પરંતુ ઉછેરની રીત, વધુ પડતા લાડ અને ખાસ સંજોગોને કારણે કેટલાક લોકોમાં મોટા થયા પછી પણ આવાં લક્ષણો જોવા મળે છે, જેમાં તેઓ પોતાને વિશ્વના કેન્દ્રમાં રાખે છે. તેઓને લાગે છે કે દરેક તેની જરૂરિયાત માટે દરેક વ્યક્તિએ કામ કરવાની નૈતિક જવાબદારી છે.
આવી વિચારસરણી માતા-પિતા અથવા પરિવારના સભ્યો સાથે સારી રીતે ચાલે છે, પરંતુ લગ્ન પછી અથવા પ્રેમ સંબંધમાં આવી ગયા પછી, આ આદત મુશ્કેલીનું કારણ બની શકે છે.
જે લોકો સંબંધોની મર્યાદાથી અજાણ હોય છે તેઓ ઈમોશનલ ઇમેચ્યોર હોય છે
મનોચિકિત્સક કે.ટી.ગિલિસના મતે, ભાવનાત્મક રીતે અપરિપક્વ લોકોનું બીજું સૌથી મોટું લક્ષણ એ છે કે, તેઓ સંબંધોની સીમાઓનું સન્માન કરતા નથી. પાર્ટનરને પર્સનલ સ્પેસ ન આપે. બાળકોની જેમ તેઓ દરેક નાની-નાની વાત જાણવાનો આગ્રહ રાખે છે.
તેમને લાગે છે કે, તેમના પાર્ટનર વિશે બધું જાણવું અને હંમેશા તેમની સાથે રહેવું જરૂરી છે. તેઓ પોતાના પાર્ટનરની પર્સનલ સ્પેસનું ધ્યાન રાખતા નથી. બીજી બાજુ, બાળકોની જેમ તેઓ તેમની જરૂરિયાતો અને પોતાના સ્થાન વિશે આક્રમક હોય છે.
ભવિષ્ય વિશે ચિંતા કરવાને બદલે વસ્તુઓને ભયજનક દૃષ્ટિકોણથી જુએ છે.
ભાવનાત્મક રીતે અપરિપક્વ હોવાના કિસ્સામાં, પાર્ટનર ફક્ત વર્તમાનમાં જ સંબંધ જુએ છે. તેઓ ભવિષ્યની ચિંતા કરતા નથી અને વસ્તુઓને માત્ર ઉપરછલ્લાં દૃષ્ટિકોણથી જુએ છે, કારણ કે ભાવનાત્મક રીતે અપરિપક્વ હોવાને કારણે તેમની પાસે ‘ઊંડી સમજણ’નો અભાવ છે.
લાગણીઓને કાબૂમાં રાખી શકતા નથી, વાદ-વિવાદ કરે છે
કેટી ગિલિસ તેના અહેવાલમાં જણાવે છે કે, જે લોકો સંબંધોમાં બાલિશ હોય છે તેઓ તેમની લાગણીઓને કાબૂમાં રાખતા નથી અને દલીલો દરમિયાન ચીસો અથવા રડવાનું શરૂ કરે છે. તેઓ શક્ય હોય ત્યાં સુધી ગંભીર બાબતો અથવા તો સંબંધોને લગતી દલીલોને ટાળવાનો પ્રયાસ કરે છે.
તમે ઈમોશનલ ઇમેચ્યોર પાર્ટનર્સની ટેવો વિશે અને આ આદતો સંબંધને કેવી રીતે ખોખલો બનાવે છે એ જાણ્યું.
ચાલો હવે સંબંધોમાં પરિપક્વતા લાવવા માટે મનોચિકિત્સક કેટી ગિલિસ પાસેથી કેટલીક ટિપ્સ જાણીએ…
- સંબંધની સમીક્ષા કરીને સમસ્યાને ઓળખો.
- તમારા અને તમારા જીવનસાથી માટે એક મર્યાદા સેટ કરો.
- તમારા જીવનસાથી સાથે વાત કરો અને તેને સમજાવો કે પરિપક્વતાની સૌથી મોટી દવા સમય છે.
- જ્યારે ઉપાયો કામ ન કરે, ત્યારે પરામર્શકની સલાહ લો. આવી સ્થિતિમાં કપલ કાઉન્સેલિંગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પ્રેમ બતાવવો અને પ્રેમમાં હોવાનો ડોળ કરવો એ બે અલગ બાબતો છે. આ પરિપક્વ અને અપરિપક્વ પાર્ટનર્સ વચ્ચેનો તફાવત છે.
પ્રેમ દર્શાવવો એ એક સરળ બાબત છે. તેને વ્યક્ત કરો, જો તમે તમારા પાર્ટનર સાથે સારું અનુભવી રહ્યા હોવ તો કહો. તેના વિના ડર લાગતો હોય તો તેને કહો. એકલતામા તમને તેની યાદ આવતી હોય અે આંસુ આવતા હોય તો તેને કહો. જો તમને તેનો ચહેરો જોઈને ચંદ્રની યાદ આવે છે, તો તેના વખાણ કરો. જો તમે તમારા જીવનસાથી વિશે ચિંતિત છો, તો તેની સુખાકારી વિશે પૂછો, તેને મળવા જાઓ, તેની નાની નાની બાબતોનું ધ્યાન રાખો.આ પ્રેમ બતાવવા માટે છે, જે ત્યારે જ શક્ય છે જ્યારે સંબંધમાં પરિપક્વતા હોય.
બીજી બાજુ, પ્રેમમાં હોવાનો ડોળ કરવો એ સાવ અલગ બાબત છે. તેમા જે ન હોય તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમ કે, બીચ પર મોંઘી હીરાની વીંટી સાથે પ્રપોઝ કરવું, 22માં જન્મદિવસ પર 22 ગિફ્ટ આપવી, બ્લેડથી હાથ પર પાર્ટનરનું નામ લખવું. આ બધું પ્રેમમાં હોવાનો ઢોંગ છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે, પ્રેમ દર્શાવવો એ કુદરતી રીતે અંદરથી આવે છે, જ્યારે પ્રેમ દર્શાવવો એ બાહ્ય દબાણનું પરિણામ છે.
તેથી, તમે તેવી જ સમજણ અને પરિપક્વતા સાથે સફળ સંબંધનો વ્યવહાર કરો જે તમે તમારી ઓફિસમાં, મિત્રો સાથે અથવા બીજે ક્યાંય જ્યાં પણ કરો છો અને તમે સફળ થાવ છો. સંબંધોમાં સફળતા તૈયરા થાળીની જેણ શણગારીને નથી આવતી, પરંતુ તે માટે શ્રમ કરવો પડે છે.