અયોધ્યા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો 21 જાન્યુઆરી, રવિવાર છઠ્ઠો દિવસ છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યાની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. હવે 23 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રિત મહેમાનોને જ પાસ બતાવીને પ્રવેશ મળશે.
બીજી તરફ અયોધ્યાને 2000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવી રહી છે. આજે સવારે રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજની આરતી બાદ અનુષ્ઠાન સંપન્ન થશે.
PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીએ જ અયોધ્યા આવશે. તેઓ અહીં ચાર કલાક રોકાશે. આ પહેલા 21 જાન્યુઆરીએ તેમના અયોધ્યા આવવાની ચર્ચા હતી.
લાઈવ અપડેટ્સ
3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફૂલોથી શણગારવામાં આવ્યું રામ મંદિર