15 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર અભિનીત ફિલ્મ ‘આરાધના’ તેમના સમયની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મ 1946માં આવેલી ફિલ્મ ‘ટુ ઈચ હિઝ ઓન’ પર આધારિત હતી. તે દિવસોમાં થિયેટરોમાં 100 દિવસ ચાલનારી ‘આરાધના’ પહેલી હિન્દી ફિલ્મ હતી. એટલું જ નહીં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર બંનેને આ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
આ ફિલ્મની સફળતા જોઈને તમિળ અને તેલુગુમાં રિમેક કરવામાં આવી હતી. આ ફિલ્મ ભારતીય થિયેટરોમાં 3 વર્ષ સુધી ચાલી અને સમગ્ર ભારતમાં પ્લેટિનમ જ્યુબિલી હિટ બની હતી. આરાધના રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની કારકિર્દીની હિટ ફિલ્મો પૈકી એક ગણવામાં આવે છે. આ પછી બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી. ફિલ્મનું ગીત ‘મેરે સપનો કી રાની’ આજે પણ લોકોને ખુબ જ પસંદ છે.
‘આરાધના’ ફિલ્મનું શૂટિંગ 1968માં થયું હતું. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને દાર્જિલિંગમાં થયું હતું. તે દિવસોમાં રાજેશ સાહેબ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરતા હતા. તેમણે 12 ડિરેક્ટરોને તેમની તારીખો આપી હતી. આ કારણે ફિલ્મની અભિનેત્રી શર્મિલા દાર્જિલિંગમાં શૂટિંગ કરી શકી ન હતી. ત્યાં માત્ર રાજેશ સાહેબના ભાગનું શૂટિંગ થયું હતું.
1969માં પ્રથમ સુપરસ્ટાર બન્યા, 15 હિટ ફિલ્મો આપી
1969 એ વર્ષ હતું જેમણે રાજેશ ખન્નાને અપાર સફળતા આપી અને તેમને સુપરસ્ટાર બનાવ્યા. આ વર્ષે તેમ ની શર્મિલા ટાગોર સાથેની ફિલ્મ ‘આરાધના’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે શર્મિલાના પતિની ભૂમિકા ભજવી હતી, જેનું મૃત્યુ થાય છે. બાદમાં રાજેશ ખન્નાને તેમના પુત્રના રોલમાં બતાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં શર્મિલા કેન્દ્રિય પાત્ર હોવા છતાં પણ રાજેશ ખન્ના ડબલ રોલમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા.
રાજેશ ખન્નાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે શો શરૂ થયો તે પહેલાં હું બધાને હેલો અને હાય કહી રહ્યો હતો, પરંતુ કોઈ મને જવાબ પણ નહોતું આપી રહ્યું. આનાથી નિરાશ થઈને હું હોટલના રૂમમાં ગયો પરંતુ ફિલ્મ પૂરી થયા પછી લોકો મને શોધતા મારી પાસે આવ્યા અને કહ્યું કે તેમને તમારા વિશે પૂછવામાં આવી રહ્યું છે.
‘આરાધના’ પછી રાજેશ ખન્નાએ સતત હિટ ફિલ્મો આપી હતી. સળંગ 14 ફિલ્મો હિટ બની, એક એવો રેકોર્ડ જે આજ સુધી તૂટ્યો નથી. લોકો એક ફિલ્મ જોયા પછી તેની બીજી ફિલ્મ જોવા માટે થિયેટરમાં પ્રવેશતા હતા. તમામ મોટા થિયેટરોમાં રાજેશ ખન્નાની માત્ર 5-6 ફિલ્મો જ બતાવવામાં આવતી હતી.
પોતે ઇચ્છતા હતા કે ફિલ્મો ફ્લોપ થાય
એક સમયે રાજેશ ખન્ના પોતાના સ્ટારડમથી એટલા નારાજ હતા કે તેઓ પોતે પણ ઈચ્છવા લાગ્યા હતા કે તેમની કેટલીક ફિલ્મો ફ્લોપ થાય, જેથી તેઓ આટલું સ્ટારડમ સંભાળી શકે. તેમણે ફિલ્મ ‘હાથી મેરે સાથી’ પણ સાઈન કરી હતી કારણ કે તેને તેની સ્ક્રિપ્ટ પસંદ ન હતી. તેને લાગ્યું કે આ ફિલ્મમાં કોઈ સાર્થક નથી, પરંતુ તેમ છતાં તે સુપરહિટ રહી હતી.