29 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ પર સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વાત એમ છે કે, થોડા દિવસો પહેલા સામંથાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં અભિનેત્રી મેડિકલ એક્સપર્ટ સાથે લિવર ડિટોક્સ વિશે માહિતી આપતી જોવા મળી હતી. વીડિયોમાં તેણે જણાવ્યું કે, લિવર ડિટોક્સ માટે ડેંડિલિઅનના મૂળ કેટલા સારા છે. તે ડેંડિલિઅન મૂળમાંથી બનેલી ચા પીવાની સલાહ આપી રહી છે.
આ જ પોસ્ટ પર ‘ધ લિવર ડોક’ નામના હેન્ડલ પરથી જવાબ આપવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે અભિનેત્રી તેના કરોડો ફોલોઅર્સને ગેરમાર્ગે દોરી રહી છે. તમને જણાવી દઈએ કે સામંથા પર તેના 33 મિલિયન યુઝર્સને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે.
‘ધ લિવર ડોક’ નામના એકાઉન્ટથી ટિપ્પણી
‘ધ લિવર ડોક’એ આ પોસ્ટ પર લખ્યું- ‘ફિલ્મ સ્ટાર સામન્થા રૂથ પ્રભુ લિવરને ડિટોક્સ કરવા અંગે 33 મિલિયનથી વધુ ફોલોઅર્સને ગેરમાર્ગે દોરી રહી છે અને ખોટી માહિતી આપી રહી છે. તેમના પોડકાસ્ટમાં એક અભણ અને રેન્ડમ હેલ્થ વેલનેસ કોચ અને પર્ફોર્મન્સ ન્યુટ્રિશનિસ્ટ પણ છે જેમને માનવ શરીર કેવી રીતે કામ કરે છે તેની બિલકુલ જાણ નથી.’ તેણે સોશિયલ મીડિયા પર એક મોટી પોસ્ટ શેર કરી છે.
સામંથાએ લખ્યું કે ‘ડેંડિલિઅન,એક એવી શાકભાજી છે જેનો ઉપયોગ કેટલીકવાર લીલા કચુંબર તરીકે થાય છે. લગભગ 100 ગ્રામ ડેંડિલિઅન તમારી દૈનિક પોટેશિયમની લગભગ 10-15% જરૂરિયાતો પૂરી પાડે છે.
સમંથા માયોસાઇટિસ નામની બીમારીને કારણે સમાચારમાં હતી
ગયા વર્ષે, સામંથા માયોસાઇટિસ નામની બીમારીને કારણે સમાચારમાં હતી. સામંથા રૂથ પ્રભુએ પોતે કહ્યું હતું કે તે માયોસાઇટિસ નામની બીમારીથી પીડિત છે જે એક ઓટો ઈમ્યૂન બીમારી છે, જે શરીરમાં સ્નાયુઓને નબળા પાડે છે. એવું કહેવાય છે કે આ રોગથી શરીરના સ્નાયુઓમાં દુખાવો થાય છે અને તેની કોઈ ચોક્કસ સારવાર નથી, આ માટે સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે.
સમન્થા રૂથ પ્રભુના આગામી પ્રોજેક્ટ્સ
સામંથા રૂથ પ્રભુ છેલ્લે રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ખુશી’માં જોવા મળી હતી, જેમાં વિજય દેવરાકોંડા મુખ્ય ભૂમિકામાં હતા. સામંથાની આગામી ફિલ્મ ‘સિટાડેલ’ છે, જેમાં તેની સાથે વરુણ ધવન લીડ રોલમાં જોવા મળશે. તે રાજ અને ડીકે દ્વારા નિર્દેશિત છે.