અમુક પળો પેહલા
- કૉપી લિંક
‘ખોસલા કા ઘોસલા’, ‘લક્ષ્ય’ અને ‘સોન ચિડિયા જેવી ફિલ્મોમાં જોવા મળેલા એક્ટર રણવીર શૌરીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં ફરી એકવાર મહેશ ભટ્ટ અને તેના પરિવાર પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે જે કહે છે કઈ અને કરે છે કઈ અને જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ખોટો વ્યવહાર થયો ત્યારે તેણે ચોક્કસપણે આ વિશે વાત કરવાનું વિચાર્યું.
હું તે સમયે પૂજા ભટ્ટને ડેટ કરતો હતોઃ રણવીર
ANI સાથેના એક ઈન્ટરવ્યુમાં શૌરીએ કહ્યું, ‘અમારી વચ્ચે વિવાદ થયો ત્યાં સુધી મને શ્રી ભટ્ટ (મહેશ ભટ્ટ) માટે ખૂબ માન હતું. તે સમયે હું તેની પુત્રી (પૂજા ભટ્ટ)ને ડેટ કરી રહ્યો હતો. તે સમયે મેં જોયું કે તેના માટે મારામાં જે પણ આદર હતો તેનો ઉપયોગ મારી સાથે ચાલાકી કરવા માટે કરવામાં આવી રહ્યો હતો… મારી સાથે ખૂબ જ બેવડું વર્તન કરવામાં આવી રહ્યું હતું.
આ પહેલા પણ રણવીર મહેશ અને પૂજા ભટ્ટ પર ઘણી વખત ગંભીર આરોપ લગાવી ચૂક્યો છે.
‘ઇન્ડસ્ટ્રીમાં જૂથવાદ છે, દરેક વ્યક્તિ ઓફ રેકોર્ડ સ્વીકારશે’ ઈન્ટરવ્યુમાં રણવીરે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, સુશાંતના મૃત્યુ પછી, ઇન્ડસ્ટ્રીના વર્ક કલ્ચર અને અહીં થઈ રહેલી ગેંગ હિંસા વિશે ઘણી ચર્ચા થઈ હતી. રણવીરે કહ્યું, ‘થોડા વર્ષો પછી જ્યારે સુશાંત સાથે મારી જેમ જ વર્તન કરવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે મારે તેના વિશે બોલવું જોઈએ. જો તમે ઈન્ડસ્ટ્રીમાં કોઈને પૂછશો તો તેઓ તમને ઑફ રેકોર્ડ કહેશે કે આ સાચું છે. ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો જૂથવાદ કરવામાં આવે છે. પરંતુ હું તે રેકોર્ડ પર કહી શકું છું… મને તે કહેવામાં કોઈ વાંધો નથી. અહીં લોકો એક વ્યક્તિ સામે ગેંગ બનાવે છે અને બીજાની કારકિર્દી બગાડીને પોતાનું કરિયર બનાવે છે. આ બધું અહીં થાય છે.
રણવીર અને સુશાંતે ફિલ્મ સોનચિડિયામાં સાથે કામ કર્યું હતું. જેમાં આ બંને સાથે મનોજ બાજપેયી અને ભૂમિ પેડનેકર પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા.
‘સુશાંત અને મને ભૌતિકશાસ્ત્ર ખૂબ ગમતું’
ઈન્ટરવ્યુમાં શૌરીએ એ પણ જણાવ્યું કે સુશાંત સાથે તેનો બોન્ડ કેવો હતો. અભિનેતાએ કહ્યું, ‘અમે બહુ નજીક ન હતા પરંતુ સારા મિત્રો હતા. અમે બે મહિના સાથે ‘સોનચિડિયા’નું શૂટિંગ કર્યું. આ સમય દરમિયાન, અમારું બોન્ડિંગ પણ વિકસિત થયું કારણ કે અમે બંને ભૌતિકશાસ્ત્રને પ્રેમ કરીએ છીએ. અમે ઘણી વખત આ વિશે ચર્ચા કરતા હતા’.
‘ચંદ્રગ્રહણ જોવા માટે મુંબઈથી ટેલિસ્કોપ મંગાવવામાં આવ્યું હતું’
શૌરીએ વધુમાં કહ્યું, ‘અમે જ્યાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યાં ચંદ્રગ્રહણ હતું. તેને જોવા માટે સુશાંતે મુંબઈથી તેનું ટેલિસ્કોપ મંગાવ્યું હતું. તેને બગીચામાં ગોઠવ્યું અને પછી અમે તેમાંથી ગ્રહણ જોયું. રણવીર અને સુશાંત સ્ટારર ફિલ્મ ‘સોનચિડિયા’ માર્ચ 2019માં રિલીઝ થઈ હતી. વિવેચકોએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.
રણવીરે હાલમાં જ તેના પુત્ર અને પૂર્વ પત્ની કોંકણા સેન શર્મા સાથેનો આ ફોટો શેર કર્યો છે. બંનેએ પોતાના પુત્રનો જન્મદિવસ સાથે મનાવ્યો હતો.
રણવીર અને પૂજા 2003માં ‘જિસ્મ’ના સેટ પર મળ્યા હતા
રણવીર અને ફેમસ એક્ટ્રેસ અને પ્રોડ્યુસર પૂજા ભટ્ટ રિલેશનશિપમાં છે. બંનેની મુલાકાત 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જિસ્મ’ના સેટ પર થઈ હતી. આ પછી બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. બાદમાં તેમના સંબંધો ખૂબ જ ખરાબ રીતે સમાપ્ત થયા. બંનેએ એકબીજા પર અનેક આરોપો લગાવ્યા હતા.