56 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં જ સિદ્ધાર્થે તેના અને અદિતિ રાવ હૈદરીના સંબંધો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. તેને એ પણ ડર હતો કે અદિતિ તેના પ્રસ્તાવનો હામાં જવાબ આપશે કે નહીં. સાથે જ તેણે એ પણ જણાવ્યું કે લગ્નની તારીખ બંને નહીં પરંતુ માતા-પિતા નક્કી કરશે.
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ થોડા દિવસ પહેલા જ સગાઈ કરી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.
સિદ્ધાર્થે સગાઈ સેરેમની પર વાત કરી
ગલાટ્ટા ગોલ્ડન સ્ટાર્સ ઈવેન્ટમાં સિદ્ધાર્થે કહ્યું, ‘ઘણા લોકોએ મને કહ્યું કે અમે આ (સગાઈ) ગુપ્ત રીતે કરી છે. પરિવાર સાથે ખાનગી વિધિ કરવી અને ગુપ્ત વિધિ કરવી એમાં ઘણો તફાવત છે. અમે જે લોકોને આમંત્રિત કર્યા ન હતા તેઓ માનતા હતા કે તે એક સિક્રેટ સેરેમની હતી, પરંતુ જે લોકો આવ્યા તેઓ જાણતા હતા કે તે એક પ્રાઇવેટ સેરેમની હતી.
પરિવાર લગ્નની તારીખ નક્કી કરશે
તેણે આગળ કહ્યું, ‘આ સવાલ ન પૂછવો જોઈએ કે અદિતિએ આ સંબંધ માટે સહમત થવામાં કેટલો સમય લીધો. અંતિમ પરિણામ ફક્ત હા અથવા ના છે. હું પણ વિચારી રહ્યો હતો કે તે (અદિતિ) હા કહેશે કે નહીં, પરંતુ સદભાગ્યે હું પાસ થઈ ગયો. જ્યાં સુધી લગ્નની તારીખનો સવાલ છે તો પરિવારના સભ્યો જ નક્કી કરશે. આ કોઈ શૂટિંગની તારીખ નથી કે જેના પર હું નિર્ણય લઈ શકું.’
અદિતિએ આ પોસ્ટ દ્વારા પોતાની સગાઈ વિશે માહિતી આપી હતી.
2021માં એક ફિલ્મમાં કામ કર્યા બાદ નિકટતા વધી
સિદ્ધાર્થ અને અદિતિએ 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહાસમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી બંને વચ્ચે નિકટતા વધી હતી. સિદ્ધાર્થે ‘રંગ દે બસંતી’ અને ‘ચશ્મેબદ્દૂર’ જેવી પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
અદિતિ રાવ હૈદરી દક્ષિણ અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેણે ‘પદ્માવત’, ‘બોસ’, ‘રોકસ્ટાર’ અને ‘મર્ડર-3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.