- Gujarati News
- National
- 3 Hours Long 4 Vedas Lessons, Today Completes Two Years Of Corridor Construction; Baba’s Court Resounded With Drums And Conch Sounds
વારાણસીએક કલાક પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 13મી ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથ કોરિડોર બન્યાને 2 વર્ષ થઈ ગયા છે. 2021માં આ દિવસે મંદિરનું 200 ગણુ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમના ઉદઘાટનની યાદમાં આજે સવારે 7 થી 10 વાગ્યા સુધી ચાર વેદોના પાઠ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અડધા કલાક સુધી મહારુદ્રાભિષેક થયો હતો. પૂજારીઓએ શણગાર અને આરતી પહેલાં બાબા વિશ્વનાથને ગંગા જળથી અભિષેક કર્યો હતો.ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પછી લગભગ 10 મિનિટ સુધી સતત ઢોલ વગાડવામાં આવ્યો અને શંખ નાદ થયો. સમગ્ર મંદિર પરિસર બાબા વિશ્વનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાંથી ઋષિ-મુનિઓ અહીં પધાર્યા છે. રાત્રિ સુધી 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મંદિરમાં બાબાના દર્શન, પૂજા અને જલાભિષેક કરશે. 3 ક્વિન્ટલ દેશી ઘી અને મેવાના લાડુ ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવ્યા હતા. કોરિડોરના નિર્માણ બાદ 13 કરોડ ભક્તોએ શ્રીકાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. કોરિડોરનું ઉદ્ઘાટન 13 ડિસેમ્બર, 2021ના રોજ પીએમ મોદીએ કર્યું હતું. દેશ-દુનિયામાંથી હજારો ઋષિ-મુનિઓ ત્યાં પધાર્યા હતા. બાબા વિશ્વનાથનો દરબાર ચોકથી ગંગા ઘાટ સુધી લંબાયો હતો.