3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડોનેશિયાના રુઆંગ પર્વત પર જ્વાળામુખી ફાટ્યા બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
ઈન્ડોનેશિયાના રુઆંગ પર્વત પર બુધવાર (17 એપ્રિલ) થી સતત જ્વાળામુખી વિસ્ફોટ થઈ રહ્યા છે. અહીં 24 કલાકમાં પાંચ વિસ્ફોટ થયા છે. આ સાથે જ ત્યાં રહેતા 11,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વિસ્ફોટના કારણે લાવા હજારો ફૂટ ઊંચો ઉછળ્યો હતો અને રાખ ફેલાઈ ગઈ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ લાવા અને રાખથી સુનામીની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પહેલો વિસ્ફોટ મંગળવારે (16 એપ્રિલ) રાત્રે 9:45 વાગ્યે રુઆંગ પર્વત પર થયો હતો.
અધિકારીઓએ જ્વાળામુખીનો કાટમાળ સમુદ્રમાં પડવાનો ભય પણ વ્યક્ત કર્યો છે, જેનાથી સુનામી આવી શકે છે. અગાઉ 1871માં ઈન્ડોનેશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો હતો.
ઈન્ડોનેશિયાના સુલાવેસી આઈલેન્ડના રુઆંગ પર્વત પર વિસ્ફોટ થયો હતો.
ભૂકંપના કારણે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે
ઈન્ડોનેશિયામાં ડિઝાસ્ટર સેન્ટર એલર્ટ પર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓનું કહેવું છે કે રુઆંગ પર્વતોમાં હાલમાં આવેલા બે ભૂકંપને કારણે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે, જેના કારણે ટેક્ટોનિક પ્લેટોમાં અસ્થિરતા સર્જાય છે. અધિકારીઓ લોકોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં વ્યસ્ત છે.
2018માં જ્વાળામુખી ફાટવાને કારણે 430 લોકોએ જીવ ગુમાવ્યા હતા
તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
ઈન્ડોનેશિયાની જીઓલોજિકલ એજન્સીના વડા મુહમ્મદ વાફીદે જણાવ્યું કે પહેલા વિસ્ફોટથી રાખના વાદળ 2 કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગયા અને પછી બીજા વિસ્ફોટથી તે 2.5 કિલોમીટર સુધી ફેલાઈ ગયા.
આ સિવાય એરપોર્ટ ઓથોરિટીએ રતુલંગી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. આ એરપોર્ટ પરથી ચીન, સિંગાપોર અને દક્ષિણ કોરિયાની ફ્લાઈટને અસર થઈ છે.
જ્વાળામુખીની અસર પડોશી દેશ મલેશિયામાં પણ જોવા મળી રહી છે. મલેશિયાના કિનાબાલુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ મોડી પડી રહી છે.
2018માં ઇન્ડોનેશિયાના ક્રાકાટાઉ જ્વાળામુખીના વિસ્ફોટના કારણે પર્વતના કેટલાક ભાગો સમુદ્રમાં પડ્યા બાદ સુમાત્રા અને જાવાના દરિયાકાંઠે સુનામી આવી હતી, જેમાં 430 લોકો માર્યા ગયા હતા.