શ્રીનગર8 મિનિટ પેહલા
- કૉપી લિંક
અકસ્માતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
જમ્મુના અખનૂરમાં ગુરુવારે બપોરે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોના મોત અને 40 લોકો ઘાયલ છે. મૃત્યુઆંક વધી શકે છે.
આ અકસ્માત જમ્મુ-પૂંછ હાઈવે પર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસમાં ઉત્તર પ્રદેશના હાથરસના 60 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ હાથરસથી શિવ ખોરી જઈ રહ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
બસ અકસ્માતની તસવીરો…
ઘટનાસ્થળની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં એક બસ ખીણમાં પડેલી દેખાય છે.
તસવીરમાં બસનો કચ્ચરઘાણ થઈ ગયો છે.
બસની આસપાસ ઘાયલ યાત્રાળુઓ જોઈ શકાય છે.
6 મહિના પહેલા પણ આવો જ એક અકસ્માત થયો હતો
15 નવેમ્બર, 2023ના રોજ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસ્સાર વિસ્તારમાં એક બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 9 મહિલાઓ સહિત 38 લોકોના મોત થયા હતા. બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. પોલીસ અને SDRFની ટીમો સાથે સ્થાનિક લોકોએ પણ રાહત અને બચાવ કાર્ય કર્યું હતું.
બસનો કચ્ચરઘાણ થઈ ગયો હતો તેથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવા માટે બસના ભાગને કાપવો પડ્યો હતો. ઘાયલોને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ (જીએમસી), ડોડામાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોને એરલિફ્ટ કરીને જમ્મુ લઈ જવામાં આવ્યા હતા.