રાજકોટમાં થયેલા અગ્નિકાંડની સરકારે ખુબ જ ગંભીરતાથી નોંધ લઈ ગૃહમંત્રીએ તમામ શાળાઓમાં ફાયરસેફટી અંગેની ચકાસણી અધિકારીઓ દ્વારા હાથ ધરી છે. એના ભાગરૂપે આજે 15 જૂન 2024ના રોજ રાજ્યકક્ષાએથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સૂચના મળી હતી. જે અન્વયે આજરોજ રવિવારે
.
આ અંગેની માહિતી રાજ્યકક્ષા સોમવારે સવારે રજૂ કરવાની હોવાથી આજ 16 જૂન 2024ના રોજ તપાસ અર્થે ફરજિયાત પણે કોઈપણ સંજોગોમાં જિલ્લાની તમામ શાળા ખુલ્લી રાખવા આથી જણાવવામાં આવ્યું હતું. જે સંદર્ભે આજરોજ ચકાસણી ટીમે આવી શાળાસંકુલમા આવેલી તમામ શાળાના આચાર્યોને સંકલનમાં લઈ કાર્યવાહી પૂર્ણ કરી હતી.