39 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં જ બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ પોતાના પિતાના મુશ્કેલ સમય વિશે ખુલ્લીને વાત કરી છે. એક્ટરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેમના પિતા વીરપ્પા શેટ્ટી 9 વર્ષની ઉંમરે મેંગ્લોરથી મુંબઈ ભાગીને આવ્યા હતા ત્યારે તેઓ રેસ્ટોરાંની બહાર સૂતા હતા અને ટેબલ સાફ કરતા હતા. ધીરે ધીરે તનતોડ મહેનત કરી અને જેના પરિણામે તેઓ તે જ રેસ્ટોરાંના માલિક બન્યા હતા.
સુનીલ શેટ્ટીએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘મારા પિતા બાળપણમાં ઘરેથી ભાગીને મુંબઈ આવ્યા હતા. અહીં આવ્યા પછી તેમને નવ વર્ષની ઉંમરે દક્ષિણ ભારતીય રેસ્ટોરાંમાં કામ કરવાનું શરૂ કર્યું. તેનું પહેલું કામ ટેબલ સાફ કરવાનું હતું. તેમના હાથ ટૂંકા હોવાને કારણે ટેબલ સાફ કરવા માટે ટેબલની ચારે તરફ ફરવું પડતું હતું . તેઓ ચોખાની બોરી પર સૂઈને રાત વિતાવતા હતાં.
પિતા વીરપ્પા શેટ્ટી, માતા અને ભાઈ-બહેન સાથે સુનીલ શેટ્ટી (જમણે પહેલાં)
પિતાએ ત્રણેય બિલ્ડિંગ ખરીદી લીધા હતા
સુનીલે જણાવ્યું કે, તનતોડ મહેનતના કારણે તેમના પિતાએ કામમાં પ્રગતિ કરી. સુનીલે કહ્યું, ‘મારા પિતાના બોસે ત્રણ બિલ્ડિંગ ખરીદી હતી અને મારા પિતાને તેના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે બોસ નિવૃત્ત થયા ત્યારે પિતાએ તે ત્રણ બિલ્ડિંગો ખરીદી અને કેટરિંગનો વ્યવસાય શરૂ કર્યો. મારી પાસે હજી પણ તે ત્રણેય ઇમારતો છે. આ રીતે અમારી જર્ની શરૂ થઈ હતી.’ સુનીલના પિતાનું 2017માં નિધન થયું હતું.
સુનીલ 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા એક્ટર પૈકી એક હતા
સુનીલે 1992માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
સુનીલે ઘણા તેમના પિતાનો કેટરિંગ બિઝનેસ પણ સંભાળ્યો હતો સાથે સાથે તેમણે 1992માં ફિલ્મ ‘બલવાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી સુનીલે ‘વક્ત હમારા હૈ’ (1993), ‘પહેચાન’ (1993), ‘દિલવાલે’ (1994), ‘મોહરા’ (1994), ‘ગોપી કિશન’ (1994), ‘કૃષ્ણા’ (1996) જેવી બેસ્ટ ફિલ્મો આપીને પોતાની ઓળખ બનાવી.
તેમની બેસ્ટ ફિલ્મોમાં ‘હેરા ફેરી’, ‘ધડકન’, ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘ફિર હેરા ફેરી’ પણ સામેલ છે. સુનીલ હિન્દી સિનેમાનો એક્શન હીરો હોવા છતાં તેમને 2001માં આવેલી ફિલ્મ ‘ધડકન’માં નેગેટિવ રોલ માટે એવોર્ડ મળ્યો હતો.