5 મિનિટ પેહલા
- કૉપી લિંક
7 સાંસદોએ હજુ સુધી શપથ લીધા નથી
બીજી તરફ સંસદ સત્રના બીજા દિવસે પણ સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 535 (કુલ 542) સભ્યોએ લોકસભાનું સભ્યપદ લીધું છે. 7 સાંસદ શપથ લઈ શક્યા ન હતા. તેમાં ટીએમસીના શત્રુઘ્ન સિંહા, દીપક અધિકારી, શેખ નુરુલ ઈસ્લામ, સપાના અફઝલ અંસારી, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, અપક્ષ અમૃતપાલ સિંહ અને શેખ અબ્દુલ રશીદ ઉર્ફે એન્જિનિયર રાશિદનો સમાવેશ થાય છે.
અમૃતપાલ અને રાશિદ હાલ જેલમાં છે. જો આ સાંસદો 26 જૂને શપથ નહીં લે તો તેઓ સ્પીકરની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.