આનંદનગરની મહિલા તબીબને બેંકમાંથી બોલું છું કહી, જો તમે ક્રેડિટકાર્ડ ચાલુ નહીં કરાવો તો પેનલ્ટી થશે તેમ જણાવી ક્રેડિટકાર્ડ ચાલુ કરવાના બહાને કાર્ડની તમામ વિગતો મેળવી તેમના ખાતામાંથી એકાઉન્ટમાંથી રૂ.4.96 લાખ ઉપાડી લીધા હતા.
.
આનંદનગરમાં રહેતી સમૃદ્ધિ અગ્રવાલ (30) બાપુનગરની હોસ્પિટલમાં ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરે છે. 2 ફેબ્રુઆરીએ એક ફોન આવ્યો જેમાં આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોલતી હોવાનું કહી, તમારું ક્રેડિટ કાર્ડ એક્ટિવ નથી જેને ચાલુ નહીં કરાવો તો પેનલ્ટી લાગશે. કાર્ડ ચાલુ કરાવવા માટે તમારા કાર્ડની તમામ વિગત આપવી પડશે. તેમ કહી વિગતો મેળવી 5 ટ્રાન્જેક્શનથી મહિલનાના એકાઉન્ટમાંથી રૂ.4.96 લાખ કપાઈ ગયા હતા.