4 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંકશન શરૂ થઇ ચુક્યા છે. ગઈકાલે રાત્રે કપલે પરિવાર અને નજીકના મિત્રો સાથે ગરબા નાઈટ સેલિબ્રેટ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફંક્શન એન્ટિલિયામાં થયું હતું અને અનંત અંબાણીના દાદી કોકિલાબેન દ્વારા આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફંક્શનમાં જાહન્વી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા તેના ભાઈ વીર પહાડિયા સાથે પહોંચ્યો હતો. શિખરે ‘છોગાડા તારા’ ગીત ગાઈને પ્રસંગને વધાવ્યો હતો. આ ફંક્શનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઇ રહી છે, જેમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ જોવા મળી હતી.
શિખર પહાડિયા ગીત ગાતો જોવા મળ્યો હતો
આજે સાંજે સંગીત સેરેમની યોજાશે. આ ફંક્શનનું આયોજન મુંબઈના બાંદ્રામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે કરવામાં આવ્યું છે.
સંગીત સેરેમનીનું આ કાર્ડ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે
આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર તેમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. આ માટે તેઓ કાલે સવારે મુંબઈ પહોંચ્યા હતા. ધ ફ્રી પ્રેસ જનરલના રિપોર્ટ અનુસાર, જસ્ટિને આ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે 83 કરોડ રૂપિયા ફી લીધી છે.
જસ્ટિન બીબર કાલે સવારે મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યો હતો
રીહાન્ના અને કેટી પેરીના ગીતો વગાડવામાં આવશે
સંગીત સેરેમનીમાં અનંત અને રાધિકાની સુંદર લવ સ્ટોરી રજૂ કરવામાં આવશે. પરફોર્મન્સમાં કપલની લવસ્ટોરીની ઝલક પણ જોવા મળશે. બંને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળ્યા અને તેમની લવસ્ટોરી કેવી રીતે આગળ વધીતે પણ દેખાડવામાં આવશે.
3 જુલાઈના રોજ, સમગ્ર પરિવાર મામેરુ વિધિ માટે એન્ટિલિયામાં એકસાથે જોવા મળ્યો હતો. આ સમારોહમાં પરિવાર ઉપરાંત કપલના ખાસ મિત્રો પણ હાજર રહ્યા હતા.
નીતા અંબાણી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા
પુત્ર અને જમાઈ સાથે જોવા મળ્યા મુકેશ અંબાણી
જાહન્વી કપૂર શિખર પહાડિયા સાથે જોવા મળી હતી.
માનુષી છિલ્લર પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી
અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા સાથે લગ્ન કરશે
બે ભવ્ય પ્રી-વેડિંગ સમારંભો પછી, પહેલા જામનગરમાં અને પછી ઈટાલીમાં ક્રૂઝમાં, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. તેમના લગ્ન રિલાયન્સ કંપનીના Jio વર્લ્ડ સેન્ટરમાં થવા જઈ રહ્યા છે, જેમાં ભારત અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે. લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી, 14 જુલાઈના રોજ કપલનું રિસેપ્શન થવાનું છે.
અનંત-રાધિકાના લગ્નના કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે
અંબાણી પરિવારે જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવ્યા
આ લગ્ન પહેલાં રવિવારે અંબાણી પરિવારે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેમાં પોતાના ખર્ચે જરૂરિયાતમંદ લોકોના લગ્ન મોટા પાયે કરાવ્યા છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ સોના-ચાંદીથી બનેલું છે
અનંત અંબાણી અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. VVIP ગેસ્ટને આપવામાં આવેલા આમંત્રણ પત્રમાં ચાંદીનું મંદિર છે. અંદર 4 સોનાની મૂર્તિઓ છે. બીજું આમંત્રણ કાર્ડ ગોલ્ડન બોક્સમાં છે. આમાં મંદિરને બોક્સની અંદર નાના સ્વરૂપમાં રાખવામાં આવ્યું છે. આ પણ દૈવી થીમ પર આધારિત છે.
નાના કપાટ ખોલ્યા પછી ચાંદીનું મંદિર દેખાશે.આ મંદિરમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની મૂર્તિઓ છે.
હાથે લખાયેલો પત્ર, બોક્સ ખોલતાં જ વિષ્ણુ મંત્ર ગુંજે છે
- એક સુંદર એમ્બ્રોઇડરી કરેલ વેડિંગ બોક્સ ઉપર ભગવાન વિષ્ણુનું ચિત્ર છે.
- આ તસવીરમાં નારાયણના હૃદયમાં લક્ષ્મી બતાવવામાં આવ્યાં છે.
- આ બોક્સ ખોલતાની સાથે જ વિષ્ણુ મંત્ર ગુંજવા લાગે છે.
- લાલ રંગનું આમંત્રણ બોક્સ ખોલતાં જ એક નાનું ચાંદીનું મંદિર દેખાય છે.
- તેમાં ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ છે.
એક પાઉચમાં પશ્મિના શાલ, બીજામાં રૂમાલ
- બીજા આમંત્રણ કાર્ડમાં, પ્રથમ એક નાનું પરબિડીયું છે તેમાં નીતા અંબાણીના હાથથી લખાયેલો પત્ર છે.
- આમાં તે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યાં છે અને આમંત્રણ આપી રહ્યાં છે.
- આ પત્રના જુદા જુદા પૃષ્ઠો પર વિવિધ ધાર્મિક વિધિઓ વિશે માહિતી છે.
- ઉપરના ભાગમાં વૈકુંઠ ધામનો નજારો જોવા મળે છે.
- એક પાઉચમાં કાશ્મીરના કલાકારો દ્વારા બનાવેલી પશ્મિના શાલ છે.
- બીજું પાઉચ ખોલતાં ત્યાં અનંત-રાધિકાના આદ્યાક્ષરો સાથેનો રૂમાલ છે, જેના પર ભરતકામ કરેલું છે.
- અંતે ઋગ્વેદનો એક શ્લોક લખવામાં આવ્યો છે.
કાર્ડમાં નીતા અંબાણીનો હાથે લખાયેલો પત્ર પણ છે
આ કપલે માર્ચની શરૂઆતમાં જામનગરમાં તેમનું પહેલું પ્રી-વેડિંગ ફંક્શન સેલિબ્રેટ કર્યું હતું.