નવી દિલ્હી/મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
4 જુલાઈ એ ભારતીય ક્રિકેટ ચાહકો માટે યાદગાર દિવસ હતો. T20 વર્લ્ડ કપની હોમ કમિંગ. 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ટીમ ઈન્ડિયા બીજી વખત ટ્રોફી સાથે કમબેક કરી હતી. પછી શું… ભારતીય ચાહકો, જેઓ 17 વર્ષથી આ ટ્રોફી તરફ જોતા હતા, તેઓ તેમના મનપસંદ સ્ટાર્સને આવકારવા માટે દિલ્હીથી મુંબઈ સુધી રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ જીતની ઉજવણી 16 કલાક સુધી ચાલી હતી.
રોહિતની બ્રિગેડ જ્યારે બાર્બાડોસથી ગુરુવારે સવારે 6.10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી ત્યારે તેના સ્વાગત માટે ચાહકો એકઠા થયા હતા. આ પછી ટીમ પીએમ નરેન્દ્ર મોદીને મળી. ત્યારબાદ ટીમ મુંબઈ પહોંચી હતી. મરીન ડ્રાઈવ પર ક્રિકેટર્સને આવકારવા માટે ચાહકો વરસાદ વચ્ચે 6 કલાક સુધી રસ્તા પર ઉભા રહ્યા હતા. રાત્રે 10 વાગ્યા સુધી ઉજવણી ચાલુ રહી હતી.
16 કલાકની ઉજવણી દરમિયાન ઘણા ચાહકોની હાલત બગડી હતી. કેટલાક ઘાયલ પણ થયા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે 10 ચાહકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી બેને દાખલ કરવામાં આવ્યા છે. એકને ફ્રેક્ચર છે અને બીજાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
ચાલો આ ઉજવણી પર નજર કરીએ…
શરૂઆત મુંબઈમાં સન્માન સાથે… BCCIએ 125 કરોડ આપ્યા
BCCIએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કર્યું. અહીં બોર્ડના પ્રમુખ રોજન બિન્ની અને સેક્રેટરી જય શાહે ટીમને 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ વાનખેડેમાં ડ્રમ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો.
BCCIએ ટીમ ઈન્ડિયાને ટ્રોફી સન્માન તરીકે ઈનામી રકમ આપી હતી.
વાનખેડે સ્ટેડિયમ પહોંચતા જ વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના ભારતીય ખેલાડીઓએ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.
રોહિતે હાર્દિકને સેલ્યૂટ કરી, દ્રવિડે કહ્યું- હું આ પ્રેમને મિસ કરીશ
- રાહુલ દ્રવિડે કહ્યું, ‘આ બોય્ઝે જે કર્યું તે અદ્ભુત છે. સખત મહેનત, ડિસિપ્લિન, ક્યારેય ન કહેવાનું વલણ, સતત સારું થવાનો પ્રયાસ. હું આ પ્રેમને મિસ કરીશ.
- રોહિત શર્માએ કહ્યું, ‘તમારા બધાનો આભાર. અમે ભારત આવ્યા ત્યારથી તે અદ્ભુત રહ્યું છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. હાર્દિક પંડ્યાની બોલિંગની પ્રશંસા કરી હતી. અને તેને સેલ્યૂટ પણ આપી હતી. હાર્દિક પંડ્યા ટ્રોફી સાથે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. સ્ટેડિયમમાં પહોંચતા જ લોકોએ ‘હાર્દિક…હાર્દિક’ના નારા લગાવ્યા હતા.
- જસપ્રીત બુમરાહે કહ્યું, ‘હું કોઈપણ ક્રિકેટ મેચ પછી રડતો નથી, પરંતુ તે જીત પછી મને લાગ્યું કે મારી આંખોમાંથી 2-3 વખત આંસુ નીકળ્યા છે.’
- વિરાટ કોહલીએ કહ્યું, ‘જ્યારે રોહિત સીડી પર હતો ત્યારે મારી અને તેની આંખોમાં આંસુ હતા. આ પહેલીવાર હતો જ્યારે મેં તેને આટલો ભાવુક થતો જોયો હતો. 2011માં જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તમામ સિનિયર ખેલાડીઓ ભાવુક હતા, મને ખબર ન હતી કે તેઓ આટલું બધું કેમ રડી રહ્યા હતા. આજે જ્યારે મેં આટલી રાહ પછી ટ્રોફી જીતી તો મને ખબર પડી કે તે આટલો ભાવુક કેમ હતો.
વિરાટ કોહલીએ વાનખેડે સ્ટેડિયમમાં તિરંગો લપેટી લીધો હતો.
મુંબઈના મરીન ડ્રાઈવ પર વિક્ટરી પરેડ, 40 મિનિટ ચાલી, 3 લાખથી વધુ ચાહકો પહોંચ્યા
રોહિતે સન્માન સમારોહમાં કહ્યું, ‘મુંબઈ કોઈને નિરાશ કરતું નથી.’ તેનું કારણ એ હતું કે ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે ચાહકો બપોરે 2 વાગ્યાથી મરીન ડ્રાઈવ પર ભેગા થવા લાગ્યા હતા. 3 કિલોમીટર લાંબી મરીન ડ્રાઈવ પર 3 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. ઇમારતો, વૃક્ષો, બસો અને વાહનો પર ચડી ગયા હતા.
જ્યારે અહીં વિક્ટરી પરેડ શરૂ થઈ, ત્યારે ભારતીય સ્ટારે પણ ચાહકોને નિરાશ કર્યા નહીં. રોહિત હોય, વિરાટ હોય, બુમરાહ હોય કે હાર્દિક હોય, દરેક 48 મિનિટની વિક્ટરી પરેડમાં આનંદથી નાચી રહ્યા હતા. ભીડ જોઈને તે પોતાની જાત પર કાબુ રાખી શક્યા નહોતા. ગંભીર મૂડમાં દેખાતો રાહુલ દ્રવિડ પણ ખુશીથી ચિલ્લાતો જોવા મળ્યો હતો. લોકો હાથ ઉંચા કરીને અભિવાદન કરતા હતા. તેણે ખુલ્લી છતની બસમાં ક્યારેક રોહિતને, ક્યારેક વિરાટને તો ક્યારેક હાર્દિકને ગળે લગાવ્યો.
કોહલી અને રોહિતે ટ્રોફી સાથે લઈને ફેન્સને બતાવી હતી.
પંત, કોહલી, દ્રવિડ અને સેમસન વિજય રથ પર ટ્રોફી સાથે.
અક્ષર, રોહિત, સેમસન અને દુબે ટ્રોફી સાથે.
હાથમાં તિરંગો પકડીને ટીમ બસમાં કેપ્ટન રોહિત શર્મા.
મરીન ડ્રાઈવ પર 3 લાખથી વધુ ચાહકો હાજર હતા.
મરીન ડ્રાઈવની સામે આવેલા ઘરોમાં ચાહકો તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.
ભારતીય ખેલાડીઓની એક ઝલક મેળવવા ચાહકો ધાબા પર ચઢી ગયા હતા.
ચાહકો બપોરે 2 વાગ્યાથી જ મરીન ડ્રાઈવ પર આવવા લાગ્યા હતા.
ટીમ ઈન્ડિયાનું પ્લેન મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ તેનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ટીમ ઈન્ડિયા નવી દિલ્હીમાં 8 કલાક રોકાઈઃ એરપોર્ટ પર સ્વાગત, PM મોદીને મળ્યા
ટીમ ઈન્ડિયા ગુરુવારે સવારે 6:10 વાગ્યે બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. ટર્મિનસમાંથી બહાર આવીને કેપ્ટન રોહિત શર્મા, BCCI સેક્રેટરી જય શાહ અને પ્રમુખ રોજર બિન્નીએ કેક કાપી હતી. આ સમય દરમિયાન, ભારતીય ચાહકો તેમના મનપસંદ હીરોની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા.
એરપોર્ટથી ટીમ હોટેલ આઈટીસી મૌર્યા પહોંચી હતી. અહીં કેપ્ટન રોહિત શર્મા સાથે રિષભ પંત, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ભાંગડા પરફોર્મ કર્યું હતું. હોટલમાં ખાસ કેક પણ કાપવામાં આવી હતી. આ પછી બધા સવારે 10.46 વાગ્યે પીએમ આવાસ પહોંચ્યા. આ દરમિયાન ખેલાડીઓએ પીએમને એક જર્સી ભેટમાં આપી, જેના પર નમો-1 લખેલું છે. ખેલાડીઓ પીએમ આવાસ પર લગભગ 2 કલાક રોકાયા હતા.
કેપ્ટન રોહિત શર્મા ટ્રોફી લઈને દિલ્હી એરપોર્ટની બહાર આવ્યો હતો.
રોહિત ટ્રોફી સાથે એરપોર્ટની બહાર નીકળ્યો કે તરત જ ચાહકોએ ભારત…ભારતના નારા લગાવ્યા.
BCCIના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને કેપ્ટન રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટ પર કેક કાપી હતી.
ટીમ ઈન્ડિયાએ PM આવાસ પર PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ટીમ ત્યાં 2 કલાક રોકાઈ હતી.
BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહે PM નરેન્દ્ર મોદીને નમો-1 લખેલી જર્સી ભેટમાં આપી હતી.
PM મોદી જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનના પુત્ર અંગદને ખોળામાં લેતા જોવા મળ્યા હતા.
તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ત્રણ દિવસથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. BCCIએ તેમને લાવવા માટે ખાસ પ્લેન મોકલ્યું હતું. આ પ્લેનનું નામ ‘ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ’ હતું.