જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં રહેતા અને જામજોધપુર ટાઉનમાં રેલવે સ્ટેશન રોડ પર ખોડ કપાસીયાની દુકાન ચલાવતા દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાએ પોતાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામજોધપુરના ટ્રેક્ટરચાલક ખેડૂત કિશોરભાઈ ડઢાણીયા અન
.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખોડ કપાસના વેપારી દિવ્યરાજસિંહ જાડેજા, કેજેઓએ પોતાની દુકાનની બહાર બ્રેઝા કાર પાર્ક કરી હતી, અને પોતાની દુકાનમાં વેપાર કરી રહ્યા હતા, જે દરમિયાન ત્યાંથી આરોપી કિશોર ડઢાણીયાએ પોતાનું ટ્રેક્ટર લઈને પસાર થયો હતો અને તેનું ટ્રેક્ટર કાર સાથે અથડાતાં કારમાં ઘોબો પડ્યો હતો, અને નુક્સાની થઈ હતી.
જે અંગે ટ્રેક્ટરચાલક સાથે વાતચીત કરવા જતાં ટ્રેક્ટર ચાલક કિશોર ઢાણિયા ઉસકેરાયો હતો, અને પોતાના સાગરીત પારૂલ જાવિયા ને બોલાવીને વેપારીને ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપી હતી. જેથી મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને આરોપી સામે ફરિયાદ નોંધાવાઈ છે.