રાજકોટ જિલ્લાના નવાગામ-3માં આશા વર્કર તરીકે ફરજ બજાવતા મંજુલાબેન ચાવડાએ જણાવ્યું હતું કે, અમે રાજકોટ જિલ્લાની 60,000 આશા વર્કર બહેનોના લઘુતમ વેતનમાં વધારાના પ્રશ્નને લઇ કલેકટર કચેરીએ આવ્યા છીએ. જે જોખમી સગર્ભા બહેનોને 1 વિઝિટના રૂપિયા 200 મળતા હતા તે
.
અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો હડતાળ કરીશું
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમને PMY, JSY સહિતનાં તમામ વેતન ફરી શરૂ કરવામા આવે તેવી માંગણી છે. આભા કાર્ડ માટે દિવસ-રાત કામ કરાવ્યા બાદ તેનો એક રૂપિયો પણ અમને મળતો નથી. અમારી માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો તમામ બહેનો હડતાળ કરશે. લોધિકા તાલુકાના ખીરસરા અને નગરપીપળીયા PHCની બહેનો તો ગત તા. 5 જુલાઈથી આ પ્રશ્નને લઇને હડતાળ પર છે અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી રહી છે. બહેનોએ અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકીને લઈને આજે રાજકોટ જિલ્લા કલેકટરને સંબોધીને રજૂઆત કરવામાં આવી હતી.
2021થી અત્યારસુધી મહેનતાણું મળ્યું નથી
રજૂઆતના મુદ્દાઓ પર નજર કરીએ તો, જોખમી સગર્ભા માતાની 2 તપાસના રૂપિયા 400 મળતા હતા જે જૂન 2024થી બંધ છે. PMJAY કાર્ડ અને આભા કાર્ડની કામગીરી કરી તેનું વર્ષ 2021થી અત્યારસુધી મહેનતાણું મળ્યું નથી. વાડી વિસ્તારમાં ફેમિલી હેલ્થ સર્વે અને રસીકરણનું મહેનતાણું ચૂકવવું, સોનોગ્રાફીની 2 તપાસમાં આશા વર્કર સાથે જાય છે તો તેનુ મહેનતાણું, પ્રસૂતિ આશા વર્કરને JSY સિવાયના લાભાર્થીનું મહેનતાણું ચૂકવવું, તમામ આશા બહેનો અને આશા ફેસિલીટર બહેનનો નોકરીનો ફિક્સ સમય નક્કી કરવો, ફેસિલીટર બહેનોના TAની પ્રથા બંધ કરવી.
અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જેટલું ઇન્સેન્ટીવ મળે તેટલું જ કામ કરવામા આવશે. વધારાના રજિસ્ટરો બંધ કરો, અમે આશા ડાયરીમાં જ લખીશું. PHC ખીરસરા, નગર પીપળીયા, પારડી, ખોખળદડ, ખોડાપીપર, સાલ પીપળીયા, સરપદડ, ત્રંબા, સણોસરા, સરધાર, ગઢકા અને ગોંડલ એમ 12 ગામોના આશા વર્કર બહેનો હાલ હડતાળ ઉપર છે અને જો રાજ્ય સરકાર દ્વારા આશાવર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહિ આવે ત્યાં સૂધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.