9 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તે કપલ્સમાંથી એક છે, જેઓ પોતાના પરિવાર અને પર્સનલ લાઇફને હંમેશાં લાઇમલાઇટથી દૂર રાખતા જોવા મળે છે. આ દરમિયાન કપલનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જે લંડનમાં આયોજિત એક કીર્તનનો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં યૂનિયન ચેપલમાં આયોજિત કૃષ્ણદાસનાં કીર્તનમાં સામેલ થયાં હતાં. જેની થોડી તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસે શેર કરી હતી. આ ઇવેન્ટમાંથી એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કપલ ભક્તિમાં લીન થયેલું જોવા મળી રહ્યું છે.
ક્લિપમાં અનુષ્કા શર્માને જય રામ શ્રી રામનો જાપ કરતા જોઇ શકાય છે. જ્યારે વિરાટ પોતાની આંખ બંધ કરીને બેઠેલા જોવા મળી રહ્યા છે. લુકની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ સિમ્પલ બ્લૂ કલરના ટોપમાં અને ક્રિકેટર બ્રાઉન કેપ અને બ્રાઉન જેકેટ પહેરેલાં જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં બંનેને ભક્તિમાં લીન થતાં જોઈ શકાય છે.
મૂળ નામ જેફરી કાગેલ, કૃષ્ણદાસે 1960ના દશકમાં પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી, તેઓ ભારત આવ્યા અને નીમ કરોલી બાબાના શિષ્ય બની ગયા. જેમના ભક્ત અનુષ્કા અને વિરાટ કોહલી પણ છે. અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર કૃષ્ણદાસને ટેગ કરતા એક તસવીર શેર કરી હતી. આ પહેલાં પણ લંડનમાં કીર્તનને અટેન્ડ કરતા કપલ જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે વિરાટ કોહલી પોતાના પરિવાર એટલે પત્ની અનુષ્કા શર્મા, દીકરી વામિકા અને દીકરા અકાય સાથે લંડનમાં છે. થોડા રિપોટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કપલ હવે કાયમી લંડનમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.