18 મિનિટ પેહલા
- કૉપી લિંક
જ્યોતિષમાં લક્ષ્મીનારાયણ રાજયોગને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે બુધ અને શુક્ર બંને ગ્રહો કોઈપણ રાશિમાં એકસાથે હોય છે ત્યારે લક્ષ્મીનારાયણ યોગ બને છે. આ યોગથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે, ધન-ધાન્યની વર્ષા થાય છે. 31 જુલાઈએ સિંહ રાશિમાં શુક્રનું સંક્રમણ થશે, જે લક્ષ્મીનારાયણ યોગ બનાવશે. વાસ્તવમાં બુધ અને શુક્રને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહો એકસાથે હોય છે ત્યારે તેમની શુભ અસર વધે છે અને એ ધન, સમૃદ્ધિ અને સુખમાં વધારો કરે છે. ઓગસ્ટમાં જ્યારે લક્ષ્મીનારાયણ યોગ અમલમાં આવશે ત્યારે મેષ અને સિંહ સહિત ઘણી રાશિઓનાં ભાગ્યના સિતારા ચરમસીમા પર હશે અને તેમને લક્ષ્મીનારાયણના આશીર્વાદથી ઘણો ફાયદો થશે.
બુધ અને શુક્રના સંયોગથી લક્ષ્મીનારાયણ યોગ બનશે-
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 19 જુલાઈએ ગ્રહોના રાજકુમાર બુધે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ધન અને કીર્તિ આપનાર શુક્ર 31 જુલાઈએ બપોરે 2.15 વાગ્યે સિંહ રાશિમાં સંક્રમણ કરશે. સિંહ રાશિમાં આ બે ગ્રહનો સંયોગ લક્ષ્મીનારાયણ રાજયોગ બનાવશે, જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે, પરંતુ એવી 6 રાશિ છે, જેના માટે આ સમયે અચાનક આર્થિક લાભ અને પ્રગતિ થવાની સંભાવના છે. આવો જાણીએ… આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…?
લક્ષ્મીનારાયણ રાજયોગ સર્જાવાથી 6 રાશિવાળાને થશે લાભ-
મેષ રાશિઃ-
લક્ષ્મીનારાયણ રાજયોગની રચના તમારા લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી પાંચમા ભાવમાં બનવા જઈ રહ્યો છે, તેથી આ સમય દરમિયાન તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતા ખૂબ સારી રહેશે. તેમની બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવને કારણે વ્યાપારીઓ માટે તેમના વ્યવસાયનો વિસ્તાર કરવો સારું રહેશે. આ સમયે તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે. ઉપરાંત જેઓ બાળકની ઇચ્છા રાખે છે તેમને સંતાનપ્રાપ્તિના આશીર્વાદ મળી શકે છે.
મિથુન રાશિઃ–
લક્ષ્મીનારાયણ રાજયોગના કારણે મિથુન રાશિના લોકોને પણ ભાગ્યનો સાથ મળશે. દરેક ક્ષેત્રે સફળતા મળશે, સુખી કુટુંબ અને દાંપત્યજીવન મળશે. કાર્યસ્થળ પર પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. ઓફિસમાં તમને પ્રમોશન અથવા પગારવધારો મળી શકે છે. તમે કામના સંબંધમાં લાભદાયક યાત્રા કરી શકો છે. તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક ડેટ અથવા ટ્રિપ પર જઈ શકો છો. અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. વેપારમાં કોઈ ડીલ અને પ્રોજેક્ટ મળવાની સંભાવના છે. તમે ભવિષ્ય માટે ઘણી યોજનાઓ પણ બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે, આત્મવિશ્વાસ વધશે. દેવી લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત બનશે.
કર્ક રાશિઃ-
કર્ક રાશિના લોકો માટે તેમના બીજા ઘરમાં લક્ષ્મીનારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે રાજયોગના કારણે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. એની અસરને કારણે તમને તમારા પરિવાર તરફથી પણ આર્થિક લાભ મળવાની સંભાવના છે. વેપારી માટે સમય ઘણો સારો સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમને લાભની ઘણી સારી તકો મળી શકે છે. આ સમય દરમિયાન તમે તમારી વાતોથી બીજાને મનાવવામાં સફળ રહેશો. એટલું જ નહીં, તમે તમારા માટે નવું વાહન, ઘર વગેરે પણ ખરીદી શકો છો. આ સમયગાળા દરમિયાન તમે કેટલીક નવી મિલકત વગેરે પણ ખરીદી શકો છો. લક્ષ્મીનારાયણ રાજયોગ તમારી દરેક મનોકામના પૂર્ણ કરનાર સાબિત થશે.
સિંહ રાશિઃ-
લક્ષ્મીનારાયણ રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી રાશિના ચઢતા ઘર પર બનવા જઈ રહ્યો છે, તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત આ સમયે તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરી શકો છો, જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિનો વિકાસ થશે અને તમે તમારાં લક્ષ્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તેમજ વિવાહિત લોકોનું લગ્નજીવન પણ સુંદર રહેશે. જેઓ અવિવાહિત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
તુલા રાશિઃ-
તુલા રાશિના લોકો માટે તેમની આવકના ઘર, એટલે કે 11મા ભાવમાં લક્ષ્મીનારાયણ રાજયોગ બનશે. મતલબ કે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકોની કમાણી ઘણી સારી રહેશે. તમારી પાસે આવકના એક કરતાં વધુ સ્ત્રોત હોઈ શકે છે. તમારી બધી અધૂરી ઈચ્છાઓ આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે. તમારી જે ઈચ્છાઓ પૈસાના અભાવે અટકી ગઈ હતી એ આ સમયગાળા દરમિયાન પૂરી થશે. આ ઉપરાંત તમને તમારાં મોટાં ભાઈ-બહેનો તરફથી કેટલાક મોટા લાભ પણ મળી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી છબિ ખૂબ જ મજબૂત રહેશે. તમારા મિત્રોનું વર્તુળ પણ વધશે.
વૃશ્ચિક રાશિઃ-
લક્ષ્મીનારાયણ રાજયોગની રચના વૃશ્ચિક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે, તેથી આ સમયે નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. તમે જમીન અને વાહનોની ખરીદી તરફ આગળ વધશો. જો તમે રોકાણ કરવા માગો છો તો તમને સારો નફો મળશે અને અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે, સાથે જ આ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. બીજી બાજુ, જો તમે વેપારી છો તો તમને સારો નાણાકીય નફો મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
ધન રાશિઃ-
ધન રાશિના લોકો માટે તેમના 9મા ઘરમાં લક્ષ્મીનારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. દરેક ક્ષેત્રમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. તમે સમાજના ઉચ્ચ પદના સભ્યોને મળશો. ઉપરાંત તમને ભવિષ્યમાં આ લોકો પાસેથી મોટો લાભ મળવાનો છે. તમને આ સમયગાળા દરમિયાન કેટલીક નાની અને લાંબા અંતરની મુસાફરી કરવાની આવી શકે છે, જોકે આ મુસાફરી તમને કેટલાક મોટા ફાયદાઓ આપી શકે છે. આ રાશિના જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેમને સફળતા મળવાની સંભાવના છે.