ચોમાસાની સીઝન શરૂ થતાં જ વડોદરા શહેરમાં સાપ અને મગરો નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વામિત્રી, મહી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સાપ અને મગરોને વડોદરામાં સારું વાતાવરણ મળી ગયું છે. સરીસૃપો અને મગરો માટે વડોદરા શહેર સ્વર્ગ સમાન બની ગયું છે. આજે એક બાઈક અને
.
ગેરેજમાં સર્વિસમાં આવેલી બાઈકમાંથી સાપ નિકળ્યો
સુભાનપુરા વિસ્તારમાં આવેલ હરિઓમનગર વિસ્તારમાં ગુરુકૃપા ઓટો ગેરેજમાં સર્વિસ માટે આવેલા એક બાઈકમાં સાપ ઘૂસી ગયો હતો. જેથી બાઇકના આગળના ભાગને માલિક બળવંતસિંહ દાહિયાએ ખોલતાની સાથે જ સાપે ફૂંફાડો માર્યો હતો. જેથી તેઓએ તુરંત જ વાઇલ્ડ લાઇફ જાણ કરી હતી અને વોલેન્ટિયર કિરણભાઈ શર્માએ પહોંચીને બાઇકની અંદર ઘૂસી ગયેલા સાપને રેસ્ક્યુ કર્યો હતો.
વરસાદથી વડોદરામાં સાપ રહેણાંક વિસ્તારોમાં ફરવા લાગ્યા
કેટ સ્નેકને બાઈકમાંથી કાઢીને રસ્ક્યૂ કર્યો
કિરણભાઈ શર્માએ જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં સાપ સુરક્ષિત જગ્યા શોધતા હોય છે, જેથી તેઓ બાઈક કે એક્ટીવામાં ઘૂસી જતા હોય છે. આજે અમને એવો જ એક કોલ મળ્યો હતો, જેથી અમે સ્થળ પર પહોંચીને કેટ સ્નેકને બાઈકમાંથી કાઢીને રસ્ક્યું કર્યો છે અને આ સાપને વન વિભાગને સોંપવામાં આવશે. બીજી તરફ ગોત્રી વિસ્તારમાં આવેલ મારૂતિધામ સોસાયટીમાં એક મકાનમાં રસોડામાં સાપ હોવાનો પણ પ્રવીણભાઈનો કોલ આવ્યો હતો, જેથી અમે પહોંચીને રસેલ વાઇપર ઝેરી સાપના બચ્ચાને રેસ્ક્યૂ કર્યું છે. એને પણ વન વિભાગને સોંપવામાં આવશે. આ ઉપરાંત કારેલીબાગ વિસ્તારના બહુચરાજી રોડ પર ચાર ફૂટની પાટલા ઘોને રિસિવ કરવામાં આવી હતી.
કારેલીબાગમાં ઘોનું રેસ્ક્યૂ કર્યું
વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી
વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોને સારું વાતાવરણ મળે છે. અમદાવાદ અને સુરત કરતાં વડોદરાનું વાતાવરણ સરીસૃપોને અનુકૂળ આવી ગયું છે. અવરનેશને કારણે પહેલાં કરતાં હવે સાપના કોલ વધારે મળી રહ્યા છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે. પછી ઉનાળામાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે. આખા ગુજરાતમાં સરીસૃપોની વસતિ વડોદરામાં જ વધારે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને જંગલને કારણે વન્ય જીવોને માનવ વસ્તીની વચ્ચે જીવી રહ્યા છે.
વડોદરામાં 20 ટકા ઝેરી સાપ.
વિશ્વમાં સર્પદંશના 100માંથી 50થી વધુ કિસ્સા ભારતમાં બને છે
દર વર્ષે સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકોને સર્પદંશની એટલે કે, સાપ કરડવાની ઘટના બનતી હોય છે, જેમાંથી આશરે 81,000થી 1.37 લાખ જેટલા કિસ્સામાં મૃત્યુ થાય છે. વિશ્વમાં સર્પદંશના 100 પૈકી 50થી વધારે કિસ્સા એકલા ભારતમાં બને છે. મુંબઈ સ્થિત ICMRની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષ 2000થી 2019 વચ્ચેના ગાળામાં એટલે કે, 20 વર્ષના ગાળામાં ભારતમાં સાપ કરડવાને લીધે આશરે 12 લાખ લોકોનાં મોત થયાં હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ દેશમાં સર્પદંશને હાઈ-પ્રાયોરિટી નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ તરીકે ગણાવે છે.