કાનપુર4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટ્રેન કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી 11 કિલોમીટર દૂર પાટા પરથી ઉતરી પડી છે.
કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. 22 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન (19168) વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. માહિતી મળતા જ રેલ્વે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ગોવિંદપુરી સ્ટેશન પાસે રાતે
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…
2.45 વાગ્યે આ અકસ્માત થયો હતો.
નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ જણાવ્યું કે આ અકસ્માત પથ્થર સાથે અથડાવાને કારણે થયો હતો. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.
અકસ્માતની 3 તસવીરો
ડીએમ રાકેશ કુમાર સિંહે કહ્યું- કોઈ જાનહાનિ નથી. કેટલાક લોકોને થોડી ઈજા થઈ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમે બસો અને એમ્બ્યુલન્સ બોલાવી છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા મનોજે કહ્યું- દુર્ઘટના સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. ટ્રેનની ગતિ ધીમી હતી. આ કારણે અમે બચી ગયા.
રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે
- પ્રયાગરાજ- 0532-2408128, 0532-2407353
- કાનપુર- 0512-2323018, 0512-2323015
- મિર્ઝાપુર- 054422200097
- ઇટાવા- 7525001249
- ટુંડલા- 7392959702
- અમદાવાદ- 07922113977
- બનારસ સિટી- 8303994411
- ગોરખપુર-0551-2208088
- લખનૌ- 8957024001
સમાચાર અપડેટ થઈ રહ્યા છે….અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…