2 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના અમિતાભ બચ્ચનની સફળતાથી હચમચી ગયા હતા અને તેઓ તેમના કારણે ખૂબ જ અસુરક્ષિત અનુભવતા હતા. 60 અને 70ના દાયકામાં રાજેશ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ હતા. જોકે, બાદમાં રાજેશ ખન્નાની ફિલ્મો ફ્લોપ થવા લાગી, આ તે સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આગામી સુપરસ્ટાર બની રહ્યા હતા અને રાજેશ ખન્નાની લોકપ્રિયતા સતત ઘટી રહી હતી.
અમિતાભ બચ્ચન સાથે રાજેશ ખન્નાનો દુર્લભ ફોટો.
સ્વર્ગસ્થ ફિલ્મ પત્રકાર અલી પીટર જ્હોને રાજેશ ખન્નાના પતનને નજીકથી જોયું હતું. એક જૂના ઈન્ટરવ્યુમાં તેણે કાકા વિશે કેટલાક ખુલાસા કર્યા હતા.
રાજેશ ખન્ના પીઠ પાછળ અમિતાભ બચ્ચન વિશે ખરાબ બોલતા હતા.
અલી પીટર જ્હોને કહ્યું હતું કે રાજેશ ખન્નાનું પતન ડિમ્પલ સાથેના લગ્ન પછી શરૂ થયું હતું પરંતુ તેમ છતાં તેઓ પોતાની ફી ઘટાડવા કે કોઈપણ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરવા તૈયાર નહોતા.
અલી પીટરના કહેવા પ્રમાણે, ‘રાજેશ ખન્ના અમિતાભ સાથે એટલા અસુરક્ષિત હતા કે એકવાર તેઓ તેમના બંગલાની ટેરેસ પર ગયા અને ખૂબ રડ્યા. આટલું જ નહીં, જયા અને અમિતાભ એકબીજાને પસંદ કરે છે તે જાણવા છતાં રાજેશ ખન્ના જયા ભાદુરી જોડે અમિતાભ વિશે ખરાબ બોલતા હતા. રાજેશ ખન્ના ઘણીવાર જયા ભાદુરીને અમિતાભથી દૂર રહેવાની સલાહ આપતા અને કહેતા કે, તમે આ માણસ સાથે કેમ ફરો છો? તમારું કંઈ થશે નહીં.
જયા ભાદુરી અને રાજેશ ખન્નાએ 1972માં આવેલી ફિલ્મ ‘બાવર્ચી’માં સાથે કામ કર્યું હતું.
જ્યારે જયાએ કહ્યું, ચાલો એક દિવસ જોઈ લઈએ કે તેઓ ક્યાં હશે અને તમે ક્યાં હશો!
અલી પીટર જ્હોને આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ અમિતાભ સેટ પર જયાને મળવા આવતા ત્યારે રાજેશ ખન્ના તેમનું અપમાન કરવાની એક તક નહોતા છોડતા. આંખે જોયેલો કિસ્સો સંભળાવતા અલી પીટરે કહ્યું હતું – ‘એકવાર જયાએ અમિતાભને કહ્યું હતું કે રાજેશ ખન્નાના આ ખરાબ વર્તન પર ધ્યાન ના આપો. જયાએ અમિતાભને કહ્યું હતું કે તમે એક દિવસ જોજો કે તેઓ ક્યાં હશે અને તમે ક્યાં હશો.
રાજેશ ખન્નાનું કેન્સરથી મૃત્યુ થયું હતું
રાજેશ ખન્નાનું 18 જુલાઈ 2012ના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. રાજેશ ખન્નાને આજે પણ ‘બાવર્ચી’, ‘આરાધના’, ‘હાથી મેરે સાથી’, ‘આનંદ’, ‘અમર-પ્રેમ’ અને ‘નમક-હરામ’ જેવી મહાન ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે.