9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્રિસમસના અવસર પર રોનિત રોયે તેમની પત્ની નીલમ સાથે ફરીથી લગ્ન કર્યા. રોનિતે 20મી વર્ષગાંઠના અવસર પર ફરી એકવાર તેની પત્ની નીલમ સાથે બંગાળી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ દંપતીએ ગોવાના એક મંદિરમાં આ ધાર્મિક વિધિઓ કરી હતી. આ ખાસ અવસર પર તેમનો 16 વર્ષનો પુત્ર અગસ્ત્ય પણ હાજર રહ્યો હતો.
રોનિત-નીલમના લગ્ન બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે થયા
20 વર્ષપુરા થયાની ખુશીમાં ફરીથી લગ્ન કર્યા
રોનિત રોય અને નીલમે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. આ સ્થિતિમાં 20 વર્ષ પૂરા થવાની ખુશીમાં, ફરી એકવાર બંનેએ તે ક્ષણ જીવી અને સાત ફેરા લીધા હતા. રોનિત રોયે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન કહ્યું – જો કે પહેલાં મેં વિચાર્યું હતું કે સિલ્વર જ્યુબિલી પર હું નીલમ સાથે ફરીથી લગ્ન કરીશ, પરંતુ નીલમ હવે તે કરવા માગતી હતી.
મારી દીકરી જે અત્યારે વિદેશ ભણે છે તે પણ આવી ગઈ છે. ખરેખર મારો પુત્ર અગસ્ત્ય પણ આગળના અભ્યાસ માટે બહાર જશે. મારી માતા જેમને પ્રવાસનો શોખ છે, તે પણ હવે અહીં છે. મને લાગે છે કે આ બધું ફરીથી થવાનું નક્કી હતું. એટલે બધું આપોઆપ થયું. હા, હું ખૂબ જ ખુશ છું કે બધું ખૂબ સુંદર રીતે પૂર્ણ થયું હતું.
નીલમ મને આત્મવિશ્વાસથી ભરી દે છે
લગ્નને લઈને નર્વસનેસ અંગે રોનિતે કહ્યું- હા, મને કોઈ ગભરાટનો અનુભવ થયો નથી. મેં નીલમ સાથે પહેલી વાર લગ્ન કર્યા ત્યારે પણ હું ગભરાયો નહોતો. નીલમ એક એવી સ્ત્રી છે જે તમારું જીવન સરળ બનાવે છે. તમને આત્મવિશ્વાસથી ભરી દે છે. અમે બંને છેલ્લા 23 વર્ષથી સાથે છીએ. આજનો પ્રસંગ અમારા માટે ટાઈમ ટ્રાવેલ જેવો હતો. અમે બંનેએ ફરી એકવાર અમારી પોતાની મુસાફરીનો અહેસાસ કર્યો અને ઉજવણી કરી. નીલમ અને મેં જીવનની સારી અને ખરાબ ક્ષણો એકસાથે જોઈ છે, નવા ઘરમાં જવાનું, સાથે મુસાફરી કરતા, અમારા બે બાળકોને મોટા થતા જોયા છે – આ બધું ખૂબ સારું લાગે છે.
નીલમને બ્રાઇડલ આઉટફિટમાં જોવાની મજા આવી – રોનિત
નીલમને જોયા પછી રોનિતને કેવું લાગ્યું? આનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું- ફની. અમે બંને પહેલેથી જ પરિણીત હતા, તેથી ફરી એકવાર લગ્ન કરવાનું ખૂબ જ ખાસ લાગ્યું. જ્યારે અમે સંબંધો વિશે વાત કરી, ત્યારે રોનિતે કહ્યું – મને લાગે છે કે દરેક વ્યક્તિ તેના જીવનમાં કોઈને કોઈ બાબત પ્રત્યે ઉત્સાહી હોય છે. પરંતુ જ્યારે બે વ્યક્તિઓ સાથે જીવન જીવવાનું શરૂ કરે છે, ત્યારે તમારે નિઃસ્વાર્થ બનતા શીખવું પડશે.
તમારે બંનેએ તમારા અંગત એજન્ડાને બાજુ પર રાખીને એકબીજા વિશે વિચારવું પડશે. જો તમે જુઓ તો મારા ઘરની નેમપ્લેટમાં છેડે મારું નામ દેખાય છે. સાચું કહું તો – ‘મને તમારી ચિંતા છે’ – આ શબ્દોનો ખૂબ જ ઊંડો અર્થ છે. જ્યારે તમે કોઈની ચિંતા કરો છો, ત્યારે તમે તેને દરેક સમયે ટેકો આપો છો. સમય સારો હોય કે ખરાબ. હા, સામાન્ય ઝઘડા થશે, પરંતુ આ તમને કંઈક શીખવે છે. જ્યારે તમે આનાથી આગળ વધો છો ત્યારે તમે વધુ મજબૂત અનુભવો છો.
રોનિત રોયે 25 ડિસેમ્બર 2003ના રોજ નીલમ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા
બાળકો અમારા બંનેના લગ્ન માટે ઉત્સાહિત હતા.
રોનિતને પૂછવામાં આવ્યું કે તેના પુનર્લગ્ન પર બાળકોની પ્રતિક્રિયા શું છે. તેના પર રોનિતે કહ્યું- મારા બંને બાળકો આ લગ્નનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. મારી પુત્રી 18 વર્ષની છે અને પુત્ર 16 વર્ષનો છે. રોનિતે હસતા હસતા આગળ કહ્યું કે મારા બાળકોએ મને પૂછ્યું કે તમારા બંનેના લગ્નમાં કેટલો સમય બાકી છે? ખરેખર અમારે બધાને વ્રત હતું હતા, અને સમારંભમાં લગભગ 2 કલાક હતા. બાળકો ઇચ્છતા હતા કે બધું ઝડપથી સમાપ્ત થાય જેથી તેઓ જમી શકે.
રોનિત રોયે 25 ડિસેમ્બર 2003ના રોજ નીલમ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો થયા. પુત્રી આદર અને પુત્ર અગસ્ત્ય. રિપોર્ટ્સનું માનીએ તો નીલમ પહેલાં રોનિતે જોઆના નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમનાથી એક પુત્રી પણ છે.