7 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિંગર-રેપર યો યો હની સિંહ પોતાના વિવાદાસ્પદ જીવનને કારણે ચર્ચામાં રહે છે. હની છેલ્લા કેટલાક સમયથી ખોટા કારણોસર સમાચારમાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેણે ડ્રગ એડિક્શન અને લગ્ન જીવન વિશે વાત કરી હતી.
ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત લોકોએ ડ્રગ્સની લત લગાડી દીધી
હની સિંહે લલનટોપને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પ્રસિદ્ધિ મળ્યા બાદ તે આડે પાટે ચડી ગયો હતો, તેણે ડ્રગ્સ પીવાનું શરૂ કર્યું હતું.
હનીએ કહ્યું- ઘણા મોટા લોકોએ તેને ડ્રગ્સનો વ્યસની બનાવી દીધો હતો. તે મને ચીડવતો હતા કે- તું પંજાબી દીકરો છે, તું આ બધું ન કરે, મેં કહ્યું લાવો હું કરીશ અને પછી આ રીતે નશાની લત વધતી રહી. હું એટલો નશો કરવા લાગ્યો કે હું મોટા ભાગનો સમય નશામાં જ રહેતો હતો હતો. મેં એક છોકરાને જોઇન્ટ બનાવવા માટે રાખ્યો કારણ કે મને જોઇન્ટ બનાવતા આવડતું નહોતું
હનીનું નવું આલ્બમ ‘ગ્લોરી’ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેના પર એક ડોક્યુમેન્ટ્રી ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.
સફળતા મળ્યા પછી પરિવારથી દૂર થઈ ગયો
‘હું એટલો નશામાં હતો કે હું મારી જાત વિશે કે મારી આસપાસના લોકોથી અજાણ હતો. તે જ સમય દરમિયાન, હું મારી પત્ની શાલિનીથી પણ દૂર રહેવા લાગ્યો. મારા લગ્ન 2011ની આસપાસ થયા. લગ્નના 9-10 મહિના સુધી બધું બરાબર હતું, પણ પછી સફળતા મળતાં મારું મન ભટકી ગયું. માતા-પિતા, શાલિની, મેં કોઈની સાથે સંબંધ નિભાવ્યો નહી. મેં ઘર તરફ જોવાનું બંધ કર્યું. હું પૈસા, પ્રસિદ્ધિ, વ્યસન અને છોકરીઓમાં ખોવાઈ ગયો.
સાત વર્ષ સુધી સારવાર ચાલી
શરાબ અને ડ્રગ્સના વ્યસનને કારણે હનીને રોગોએ ઘેરી લીધા હતા. તે બાયપોલર ડિસઓર્ડરનો શિકાર બની ગયો હતો. આ પછી તેણે દારૂ અને ડ્રગ્સનું વ્યસન છોડવું પડ્યું. સાત વર્ષની લાંબી સારવાર બાદ આખરે હની સ્વસ્થ થઈ ગયો છે. હનીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ સમય દરમિયાન અક્ષય કુમાર, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ જેવા સેલેબ્સ તેમની તબિયત વિશે પૂછતા હતા.
હની સિંહ અને શાલિની તલવારના લગ્ન 23 જાન્યુઆરી 2011ના રોજ થયા હતા.
હનીના છૂટાછેડા થઈ ગયા છે
હની સિંહ અને શાલિની તલવારના લગ્ન 23 જાન્યુઆરી, 2011ના રોજ થયા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં આ કપલ અલગ થઈ ગયું હતું. 2021માં શાલિનીએ હની વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરીને છૂટાછેડાની અરજી કરી હતી. અઢી વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા હતા.