પ્રતિકાત્મક તસવીર.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર પાણીનું સંકટ ઊભું થશે. શહેરના પૂર્વ વિસ્તારના મોટાભાગની પાણીની ટાંકીઓમાં પાણી નહિ પહોંચે. કારણ કે, આગામી તારીખ 23 સપ્ટેમ્બરના રોજ શહેરના આજના સરોવરથી નિમેટા પાણીના શુદ્ધિકરણ મથક સુઘી આવતી ફિડરલાઇન રિપેરિંગના ક
.
શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી કાપ રહેશે વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા શાખા હસ્તકની આજવા સરોવરથી નિમેટા પાણીના શુધ્ધિકરણ મથક સુધી આવતી 900 મીમી ડાયા એચ.એસ. ફિડર લાઇન રિપેરિંગ કરવાની કામગીરી તા.23/09/24ના રોજ સવારે 8 કલાકથી તા.24/09/24 સવારે 8 કલાક સુધી હાથ ધરવામાં આવનાર છે. જેથી શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી કાપ રહેશે, જેથી આ લોકોને પાણી નહીં મળે.
23મીએ બપોર અને સાંજે પાણી વિતરણ કરાશે આજવા ફિડર લાઈન સમારકામને લઈ શહેરના સયાજીપુરા ટાંકી, નાલંદા ટાંકી, પાણીગેટ ટાંકી, ગાજરાવાડી ટાંકી, બાપોદ ટાંકી, કપુરાઇ ટાંકી, લાલબાગ ટાંકી સહિત સોમાતલાવ બુસ્ટર, સંખેડા દશાલાડ બુસ્ટર, નંદધામ બુસ્ટર, મહેશનગર બુસ્ટર, દંતેશ્વર બુસ્ટર અને મહાનગર બુસ્ટર ખાતેી પાણી મેળવતા ઝોનનું તા. 23/09/24ના રોજનું બપોર તથા સાંજના ઝોનનું પાણીનું વિતરણ કરવામાં આવશે નહી.
જરૂરીયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા જાહેરાત આગામી તારીખ 24/09/24નાં રોજ સવારના ઝોનમાં પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં. જ્યારે સાંજના ઝોનમાં હળવા દબાણથી અને ઓછા સમય માટે પાણીનું વિતરણ કરવામાં આવશે, જેની તમામ વિસ્તારના નાગરીકોએ નોંધ લેવી. તેમજ જરૂરીયાત મુજબ પાણીનો સંગ્રહ કરી લેવા પાલિકાએ જાહેરત કરી છે.