નખત્રાણામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે જેમાં આર એન્ડ બી, નગરપાલિકા તેમજ પીજીવીસીએલ દ્વારા રેંકડી, કેબીન તથા ટ્રાફિકને નડતરરૂપ દબાણકારોને નોટિસો પાઠવતા નાના ધંધાર્થીઓએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો અને મોટા દબાણો પણ દૂર કરવામાં
.
પાણીના વહેણ પર જે દબાણ હોય તેમને નોટિસ પાઠવાઇ છે જેના કારણે નાના ધંધાર્થીઓને આજીવિકા છીનવાઇ જવાનો ભય હોતાં દબાણ હટાવાય તે પહેલા સ્વયંભૂ બંધ પાળી જડેશ્વર મંદિર મધ્યે બેઠકનું આયોજન કર્યું હતું જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન કાંધાણી સમક્ષ આજીવિકાનો પ્રશ્ન હોવાનું રટણ કર્યું હતું. રેકડી કેબીન એસોસીએશનના પ્રમુખ રાજેશ જોશીએ જણાવ્યું કે નડતરરૂપ દબાણો અને પાણીના વહેણ પરના દબાણો હટાવો, અમે રોડથી સ્વેચ્છાએ 15 ફૂટ દૂર હટી જઈશું પરંતુ જે મોટા મગરમચ્છો છે તેમને જો નહીં હટાવવામાં આવે તો અમે હરગીઝ નહીં હટીએ તેવી ચીમકી આપી હતી.
તહેવારો વચ્ચે ખરા ટાંકણે તંત્રને નાના ધંધાર્થીઓને પરેશાન કરવાનું સૂઝ્યું છે તેવા આક્ષેપ કરતાં અમે ક્યાં જઈશું ? તેવો સવાલ કર્યો હતો. ચીફ ઓફિસરે વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારવામાં આવશે એવી ખાતરી આપી હતી. બેઠકમાં જીતુભા જાડેજા, જીતેન્દ્ર ગોસ્વામી, તુલસીભાઈ સોની, મનીષ અબોટી સહિત 300 જેટલા નાના ધંધાર્થી હાજર રહ્યા હતા. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાણીના વહેણ ઉપરના દબાણો તેમજ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાશે જ. જો તેઓ સ્વૈચ્છિક રીતે હટી જશે તો તંત્ર કોઈ પગલાં નહીં લે. કોઈની આજીવિકા છીનવવાનો ઈરાદો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.