સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાય એટલે બધાની નજર હોય કે 138.68 મીટર પર ક્યારે પહોંચશે. આ વર્ષે ગત વર્ષ કરતાં પણ વધારે પાણીની આવક થઈ પરંતુ તબક્કાવાર પાણી છોડવામાં આવતાં પાણી નર્મદામાં વહીને દરિયામાં જતું રહ્યું અને નર્મદા ભરૂચ વડોદરાના
.
ઉપરવાસ મધ્ય પ્રદેશમાંથી આવક પણ ઓછી થઈ અને ચોમાસાના તમામ રાઉન્ડ પણ પૂરા થઈ ગયા. હવે નર્મદા ડેમની જળસપાટી 137. 73 મીટર પહોંચી છે, એટલે મહત્તમ સપાટીથી માત્ર 95 સેમી દૂર છે.
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી હાલ 69,738 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેમાં RBPH, CHPH હાલ પાણી ખર્ચ કરે છે. નર્મદા ડેમના 1 ગેટ 1.35 મીટરથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. નદીમાં કુલ 69,228 ક્યૂસેક પાણી નર્મદામાં છોડવામાં આવે છે. હવે વધુ પાણીની આવક થાય એવી શક્યતાઓ નથી. સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 95 સેમી દૂર સપાટી 137.73 મીટર પર સ્થિર છે.