મહેસાણા જિલ્લામાં અસામાજિક તત્વોને જાણે પોલીસની કોઈ બીકના હોઈ એમ બેફામ રીતે પોતાની પાસે હથિયારો રાખી રોફ જમાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના વિજાપુર તાલુકાના સંઘપુર ગામે બની છે. જ્યાં કામગીરી બાબતે બે કુટુંબી ભાઈઓ વચ્ચે બોલાચાલી થયા બાદ તલવારો, રાયફ
.
વિજાપુર તાલુકામાં આવેલા સંઘપુર ગામે રહેતા રાઠોડ હરજીત સિંહ પોતાના ગામ નજીક નવી બની રહેલ ખાનગી કંપનીના પાયાના ખોદકામનું કામ રાખ્યું હતું. આ દરમિયાન તેઓના મોટા બાપુનો દિકરો રવિન્દ્ર સિંહ રાઠોડ ત્યાં આવી કહ્યું કે, ફેક્ટરીનું લેવલીગનું કામ અમારે કરવાનું હોવાથી તમે હવે કામ બંધ કરી દેજો. ત્યારબાદ બીજા દિવસે ફરિયાદી પોતાના મોટા બાપાના દિકરાના ફાર્મ હાઉસ પર જઈ આ મામલે ફરિયાદ કરી હતી, જ્યાં રવિન્દ્ર સિંહ કહ્યું કે, કામ ચાલુ કરશો તો મારી નાખશું.
બાદમાં ફરિયાદીએ પોતાના માણસો વડે રાત્રે કંપનીના પાયા ખોદવાનું કામ ચાલુ કરવી તેઓ પોતાના કેબીન પાસે બેઠા હતા, એ દરમિયાન રાત્રે રવિન્દ્ર નિકુલ સિંહ રાઠોડ તેના ભાણા દેવેન્દ્ર સિંહ ઉર્ફ ભદ્રેશ રાજેન્દ્રસિંહ પરમાર, પોતાના હાથોમા રિવોલ્વર, પાઇપ સાથે તો ગોપાલ સિંહ લાલસિંહ રાઠોડ, રાજદીપ સિંહ સજ્જન સિંહ ઝાલા, નરેન્દ્ર ઉર્ફ પપ્પુ રાઠોડ, સંજયસિંહ લાલસિંહ રાઠોડ, વનરાજસિંહ ઉર્ફ બટ્ટો, જીપ, સ્વીફ્ટ, સ્કોર્પિયો, ફોર્ચ્યુનર જેવી ગાડીઓમાં સવાર થઈ ફરિયાદીને માર મારવા આવ્યા હતા.
જેમાં રવિન્દ્ર સિંહ રાઠોડે પોતાના ભાઈની રિવોલ્વર પોતાના હાથમાં લઇ હવામાં એક રાઉન્ડ ફાયરીગ કર્યું હતું. ત્યારબાદ બીજો રાઉન્ડ ફરિયાદી સામે મારતા ફરિયાદી જીવ બચાવવા ખાડામાં કુદી પડ્યો હતો. ત્યારબાદ સંજયસિંહ પોતાના પાસે રહેલ બાર બોર રાયફલ બે રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતાં. ત્યારબાદ સાતે લોકો ભેગા મળી ફરિયાદી પર તૂટી પડ્યા હતા. જ્યાં કામ કરતા મજૂરો અને ફરિયાદીનો ભાઈ વચ્ચે પડતા વધુ મારથી છોડાવ્યો હતો. ઈજા પામેલા ફરિયાદીને હિંમતનગર ખાતે સારવાર માટે લઈ જવામાં આવતા, ત્યાં તબીબે સારવાર આપી હતી. ત્યારબાદ હુમલાખોર સામે વિજાપુર પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી
આ સમગ્ર કેસમાં વિજાપુર પોલીસ મથકમાં પી.એસ.આઈ વી.આર ચાવડા એ જણાવ્યું કે, ગઈકાલે જ ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ ગામમાં તપાસ કરતા આરોપી કે કોઈ હથિયાર મળી આવ્યા નથી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ શરૂ કરી છે.