ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા માટેના જન આંદોલનને આહવાન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે ‘સ્વચ્છતા જ સેવા-2024’ પખવાડિયાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની 8 મહાપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જસદણ શહેરમાં આવેલા જિલેશ્વર પાર્ક ખાતે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન જિલેશ્વર પાર્કથી નગરપાલિકા કચેરી સુધી રાખવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ સદસ્યો, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને શહેરના સ્થાનિક લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ સફળાપૂર્વક પૂર્ણ થયા બાદ નગરપાલિકા કચેરી ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કચેરી ચોખ્ખીચણાક કરવામાં આવી હતી. ત્યારબાદ સૌને સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો. નવાગામ રોડ ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાઈક ફસાયું
રાજકોટમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ ખાડા અને ગટરનાં ઢાંકણા ખુલ્લા હોવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે નવાગામ રોડ ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું બાઈક ફસાયું હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને કોઈએ મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેને લઈને મનપા તંત્રની કામગીરી સામે ફરીથી એકવાર લોકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા. અને ગટરના ખુલ્લા ઢાંકણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી માંગ લોકોમાં ઉઠી હતી. મેયર પેઢડીયાના અધ્યક્ષ સ્થાને મંગળવારે પેડક રોડ પર સેવાસેતુ યોજાશે
રાજકોટમાં પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને તેના નજીકના સ્થળે મળી રહે તે માટે આગામી 24 સપ્ટેમ્બર, 2024ને મંગળવારના અટલ બિહારી ઓડિટોરિયમ, પેડક રોડ, ખાતે મેયરનયના પેઢડીયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામ મોકરીયા, પરસોતમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા, દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા સહિતનાં હાજર રહેશે.
Source link