- Gujarati News
- Dharm darshan
- How To Prepare For Adhyashakti Parva In?; Learn About The Complete Preparation Of Kalash Installation, From The Tradition Of Sowing Jawara
3 કલાક પેહલા
- કૉપી લિંક
3જી ઓક્ટોબર ગુરુવારથી દેવી આરાધનાનું પર્વ શરૂ થવાનું છે. તેના પહેલાં જ દિવસે ઘટ સ્થાપના થાય છે, અને સાથે જવારા એટલે અનાજ વાવવાની પરંપરા છે. એના માટે ઘરને શુદ્ધ કરવું અને જરૂરી સામગ્રી એકઠી કરવી. જેમાં દેવી આરાધનામાં ઉપયોગમાં આવતી સામગ્રી અને દરેક પ્રકારની ખરીદી કરી શકાય છે.
શક્તિ પર્વની તૈયારી કેવી રીતે કરવી, કઈ સામગ્રી જોઈશે અને એની ખરીદી ક્યારે કરવી અને માટીનો કળશ, દીવો, અનાજ અને સોળ શ્રૃંગારની વસ્તુઓ ખરીદવી શુભ રહેશે. આ દિવસે ઘરને સજાવવા માટે તોરણ અને રંગોળી માટે જરૂરી સામાન લઈ શકાય છે. આખા ઘરને શુદ્ધ કરવું અને સ્થાપનાની તૈયારી માટે ખૂબ જ શુભ દિવસ રહેશે, એટલે જ્યાં કળશ સ્થાપના અને દેવી માટે બાજોટ રાખવનાનું હોય એ જગ્યા ગંગાજળ અને ગૌમૂત્ર છાંટવું. પછી ત્યાં બાજોટ રાખો. બીજા દિવસે સ્થાપના કરો.
શક્તિ પર્વ શરૂ થતાં પહેલાં જ નખ, વાળ અને દાઢી કપાવી લેવી જોઈએ, કેમ કે સ્મૃતિ ગ્રંથ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રિ દરમિયાન નખ અને વાળ કપાવવા જોઈએ નહીં. આવું કરવાથી આરાધના અંડિત થઈ જાય છે. નવરાત્રિ પહેલાં જ ગૃહસ્થ લોકોએ બે દિવસમાં લસણ-ડુંગળી અને તામસિક વસ્તુઓ છોડી દેવી જોઈએ, સાથે જ હળવું ભોજન કરવું, જેથી શરીર નવ દિવસ સુધી વ્રત-ઉપવાસ માટે તૈયાર થઈ જાય. દેવી આરાધનાના નવ જરૂરી ભાગ હોય છે. જેમાં કળશ સ્થાપના, દેવીનું બાજોટ તૈયાર કરવું, પૂજા કરવી અને અખંડ દીવો પ્રગટાવવો, દુર્ગા સપ્તશતી પાઠ, વ્રત-ઉપવાસ, હવન, કન્યા પૂજન, બ્રાહ્મણ ભોજન અને છેલ્લે ક્ષમા પ્રાર્થના હોય છે. જાણો કળશ સ્થાપનાની સંપૂર્ણ તૈયારી..