સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલા
- કૉપી લિંક
BCCIએ શનિવારે IPLની નવી રિટેન્શન પોલિસી લાગુ કરી. નીતિ નિયમોને કારણે વિદેશી ખેલાડીઓ નુકસાનમાં હોય તેવું લાગી રહ્યું છે. આ અંતર્ગત તમામ વિદેશી ખેલાડીઓએ મેગા ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો તેઓ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો પછીથી યોજાનાર મીની ઓક્શનમાં તેમને પ્રવેશ મળશે નહીં.
તે જ સમયે, જો કોઈ ખેલાડી ઓક્શનમાં વેચાયા પછી ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચે છે, તો તેના પર આગામી 2 સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. ઉપરાંત, વિદેશી ખેલાડીઓ હવે એક સિઝનમાં 18 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકશે નહીં. છેલ્લા મીની ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં અને પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યા હતા.
તમે સ્ટોરીમાં 6 સવાલોના જવાબો જાણશો
1. IPLના રીટેન્શન નિયમ શું છે? 2. રાઈટ ટુ મેચ કાર્ડમાં શું બદલાવ આવ્યો છે? 3. ખેલાડીને રિટેન માટે કેટલો ખર્ચ થશે? 4. વિદેશી ખેલાડીઓ માટે નવા નિયમો શું છે? 5. વિદેશી ખેલાડીઓને કેવી રીતે નુકસાન થયું? 6. અનકેપ્ડ ખેલાડીઓ માટે શું નિયમ છે?
1. IPLનો નવો રીટેન્શન નિયમ હવે ફ્રેન્ચાઇઝી ટીમ IPL મેગા ઓક્શન પહેલાં 6 ખેલાડીઓને રિટેન કરી શકશે. જેમાં મહત્તમ 5 ઈન્ટરનેશનલ અને 2 અનકેપ્ડ પ્લેયર્સને સામેલ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય ખેલાડી કોઈપણ દેશનો હોઈ શકે છે, પરંતુ અનકેપ્ડ ખેલાડી ફક્ત ભારતનો જ હોવો જોઈએ.
ધારો કે, મુંબઈ ઈન્ડિયન્સે 5 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને રિટેન કર્યા છે, તો ટીમ હવે છઠ્ઠા ખેલાડી તરીકે માત્ર એક અનકેપ્ડ ખેલાડીને જાળવી શકશે. જ્યારે ટીમ 4 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને જાળવી રાખે છે, તો તેમની પાસે 2 અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ હશે.
2. રાઈટ ટુ મેચ કાર્ડમાં શું બદલાવ આવ્યો? ઓક્શનમાં રાઈટ ટુ મેચ એટલે કે RTM કાર્ડ પણ પરત આવ્યું છે. જો ટીમ ઇચ્છે તો તેઓ ઓક્શન પહેલાં 6 ખેલાડીઓને જાળવી શકે છે અથવા ટીમ ઓક્શનમાં 6 RTM કાર્ડનો ઉપયોગ કરી શકે છે. જો ટીમ 3 ખેલાડીઓને રિટેન કરે છે, તો તેમની પાસે ઓક્શનમાં માત્ર 3 RTM કાર્ડ જ રહેશે. તેવી જ રીતે, જો 4 ખેલાડીઓને રિટેન કરે છે તો 2 RTM કાર્ડ ઓક્શનમાં બાકી રહેશે.
ઓક્શનમાં ટીમને રાઈટ ટુ મેચ કાર્ડ મળે છે. ધારો કે, ચેન્નઈ સુપર કિંગ્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે અને તેમની પાસે એક RTM કાર્ડ બાકી છે. ટીમ મોઈન અલીને રિટેન કરી શકી ન હતી. હવે જો હૈદરાબાદ 6 કરોડ રૂપિયા આપીને મોઈનને ઓક્શનમાં ખરીદે છે તો ચેન્નઈ તેના RTM કાર્ડનો ઉપયોગ કરીને મોઈનને પોતાની ટીમમાં રાખી શકે છે.
આ વખતે RTMમાં નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે, બિડિંગ ટીમને પ્લેયરની કિંમત વધારવાની તક મળશે. જેમ કે હૈદરાબાદે મોઈન પર 6 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને CSKએ RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો, તો હૈદરાબાદ તે કિંમત રૂ. 9 અથવા તો રૂ. 10 કરોડ સુધી વધારી શકે છે. હવે જો CSK RTM કાર્ડનો ઉપયોગ કરે છે તો તેમણે મોઈનને વધેલી કિંમતે ખરીદવી પડશે. જો CSK RTM કાર્ડનો ઉપયોગ નહીં કરે, તો મોઈન વધેલી કિંમતે હૈદરાબાદમાં રહેશે.
2018ના મેગા ઓક્શનમાં બેંગલુરુએ યુઝવેન્દ્ર ચહલને રાઈટ ટુ મેચ કાર્ડથી ખરીદ્યો હતો.
3. 79 કરોડ રૂપિયામાં 6 ખેલાડીઓને રિટેન કરવામાં આવશે IPL ટીમની પર્સ લિમિટ પણ વધારીને 120 કરોડ રૂપિયા કરવામાં આવી છે, જે પહેલા 100 કરોડ રૂપિયા હતી. પ્રથમ ખેલાડીને જાળવી રાખવા માટે 18 કરોડ રૂપિયા, બીજા ખેલાડીને 14 કરોડ રૂપિયા અને ત્રીજા ખેલાડીને 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જો માત્ર 3 ખેલાડીઓને રિટેન કરવામાં આવે તો પર્સમાંથી 43 કરોડ રૂપિયા ખર્ચ થશે.
જો ટીમ ચોથા ખેલાડીને જાળવી રાખે છે તો તેને માત્ર 18 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. અને પાંચમા ખેલાડી માટે 14 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. અનકેપ્ડ ખેલાડીને જાળવી રાખવા માટે માત્ર 4-4 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્લેયર રિટેન્શન સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર 2024 સાંજે 5 વાગ્યા સુધી છે.
જો ટીમ 5 ઈન્ટરનેશનલ અને એક અનકેપ્ડ પ્લેયરને જાળવી રાખે છે, તો તેમના પર્સમાંથી 79 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જો ટીમ 4 આંતરરાષ્ટ્રીય અને 2 અનકેપ્ડ ખેલાડીઓને જાળવી રાખે છે, તો પર્સમાંથી 69 કરોડ રૂપિયા ખર્ચ થશે. જો માત્ર 5 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને જાળવી રાખવામાં આવે તો પર્સમાંથી 75 કરોડ રૂપિયા ખર્ચ થશે.
4. વિદેશી ખેલાડીઓ માટે નિયમો કડક બન્યા હવે વિદેશી ખેલાડીઓએ IPLમાં ભાગ લેવા માટે મેગા ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો તેઓ રજીસેટ્ર્શન નહીં કરે, તો તેમને આગામી મીની ઓક્શનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો ઓક્શનમાં વેચાયા બાદ કોઈપણ વિદેશી ખેલાડી ટુર્નામેન્ટમાંથી ખસી જશે તો તેના પર આગામી 2 સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. આનો અર્થ એ છે કે તે આગામી બે ઓક્શમાં ભાગ લઈ શકશે નહીં. જો કે, જો ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, પરંતુ આ માટે તેણે તેના નેશનલ બોર્ડની પરવાનગી લેવી પડશે.
5. વિદેશીઓને ₹18 કરોડથી વધુ નહીં મળે પ્રથમ વખત IPLમાં વિદેશી ખેલાડીઓને ચૂકવવામાં આવતી રકમ પર નિયમ હતો. મિની ઓક્શનમાં વિદેશી ખેલાડીઓને 18 કરોડ રૂપિયાથી વધુની સૌથી વધુ રિટેન્શન વેલ્યુ નહીં મળે. અથવા જો મેગા ઓક્શનમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડી રૂ. 16 કરોડમાં વેચાય તો વિદેશી ખેલાડીઓને મીની ઓક્શનમાં રૂ. 16 કરોડથી વધુ નહીં મળે.
ધારો કે, મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવને સૌથી વધુ 18 કરોડ રૂપિયાની રિટેન્શન કિંમતમાં જાળવી રાખ્યો. હવે જો મેગા ઓક્શનમાં રિંકુ સિંહ સૌથી મોંઘો હતો તો પણ તેની કિંમત માત્ર 15 કરોડ રૂપિયા રહી. તેથી આગામી મીની ઓક્શનમાં વિદેશી ખેલાડીને 15 કરોડ રૂપિયાથી વધુ નહીં મળે.
તે જ સમયે, જો મેગા ઓક્શનમાં રિંકુ સિંહને 20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવે છે, તો આગામી મીની ઓક્શનમાં વિદેશી ખેલાડીને MIના સૂર્યા 18 કરોડ રૂપિયાથી વધુમાં નહીં મળે. અહીં, વિદેશી ખેલાડીઓને તે રકમ મળશે જે જાળવી રાખવાની સૌથી વધુ કિંમત અને મેગા ઓક્શન વચ્ચે સૌથી ઓછી છે.
જોકે, ટીમ 20, 25 કે 30 કરોડ રૂપિયાની બોલી લગાવીને વિદેશી ખેલાડીઓ પણ ખરીદી શકે છે. તે બોલી લગાવશે એટલી જ રકમ તેના પર્સમાંથી કાપવામાં આવશે, પરંતુ ખેલાડીને માત્ર 15 કે 18 કરોડ રૂપિયા જ મળશે. બાકીની રકમ BCCIને જશે, જે બોર્ડ તેના ખેલાડીઓ પર ખર્ચ કરશે.
6. અનકેપ્ડ પ્લેયર નિયમને કારણે ધોની 4 કરોડ રૂપિયામાં રમી શકશે IPLમાં અનકેપ્ડ પ્લેયરનો નિયમ પણ પરત ફર્યો. આ નિયમ 2008 થી 2021 સુધી અમલમાં રહ્યો, પરંતુ કોઈએ તેનો ઉપયોગ કર્યો નહીં. હવે તે પુનરાગમન કરી રહી છે. આ હેઠળ, ટીમ કોઈપણ ભારતીય ખેલાડીને જાળવી શકશે જેણે 5 વર્ષ પહેલા તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અનકેપ્ડ ખેલાડી તરીકે રમી હતી.
જેમ કે, ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની જેણે ચેન્નઈ સુપર કિંગ્સને 5 IPL ટાઇટલ અપાવ્યું. તેણે ભારત માટે તેની છેલ્લી મેચ 2019માં રમી હતી, ત્યારથી 5 વર્ષ વીતી ગયા છે. તેથી, CSK તેને માત્ર 4 કરોડ રૂપિયામાં અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી શકે છે.