અમરેલીના સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી છે. તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચેતન માલાણી હાલ બોલી શકે તેમ ન હોય હુમલાનું ચોક્કસ કારણ જાણી શકાય
.
સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી પર સાવરકુંડલાના ખડસલી ગામમાં અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાતા ચકચાર મચી છે. હુમલામાં ચેતન માલાણીને ગંભીર ઈજા થતા લોહીલુહાણ થયા હતા. તેઓને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હોસ્પિટલ દોડી ગયા હતા.
અમરેલી પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતું કે, અમારા સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી ચેતન માલાણી ઉપર જીવલેણ હુમલો થયો છે. કદાચ બચાવવા વાળા ન પહોંચ્યા હોત તો મર્ડર પણ થઈ જાત. હુમલો કરનાર કોણ છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે કારણ કે ચેતનભાઈ હાલ બોલી શકતા નથી.
અમરેલી ડીવાયએસપી અશોક સિંહ ગોહિલનો સંપર્ક કરતા કહ્યું ખડસલી ગામની ઘટનામા હુમલો ક્યાં કારણોસર થયો છે તે અંગે અમારી પોલીસ તપાસ કરી રહી છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.