3 કલાક પેહલા
- કૉપી લિંક
કન્નડ અભિનેતા દર્શન થુગુદીપા તેના ફેન રેણુકાસ્વામીની હત્યાના આરોપમાં છેલ્લા 4 મહિનાથી જેલમાં છે. અભિનેતાની લીગલ ટીમ તેને જામીન અપાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દર્શનની જામીન અરજી પર 30 સપ્ટેમ્બરે સુનાવણી થઈ હતી, જોકે આ વખતે દર્શનના વકીલે પોતે જ આગામી તારીખ માગી હતી. આવી સ્થિતિમાં હવે દર્શનની જામીન અરજી પર 4 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
પિંકવિલાના તાજેતરના અહેવાલ મુજબ, 57મી એડિશનલ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં દર્શન થુગુદીપાની જામીન અરજીની સુનાવણી થઈ હતી. દર્શનના વકીલ સુનીલ કુમારે પોતાની દલીલો રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય માગ્યો છે. તેણે કોર્ટને કહ્યું છે કે, દર્શનની કાનૂની ટીમના વરિષ્ઠ વકીલ અંગત કારણોસર કોર્ટમાં આવી શક્યા નથી.
વકીલની આ અપીલ પર જસ્ટિસ જયશંકરે આગામી તારીખ 4 ઓક્ટોબર આપી છે. અભિનેત્રી પવિત્રા ગૌડા અને દર્શન સહિત રેણુકાસ્વામી હત્યા કેસમાં અન્ય આરોપીની જામીન અરજીની સુનાવણી પણ મોકૂફ રાખવામાં આવી છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ દર્શને જામીન અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. આ પછી, 4 સપ્ટેમ્બરે, દર્શનના વકીલે ફરીથી નવી જામીન અરજી દાખલ કરી.
દર્શન થુગુદીપા તેના ફેની હત્યાના આરોપમાં જેલમાં છે 9 જૂનના રોજ, 33 વર્ષીય રેણુકાસ્વામીનો મૃતદેહ બેંગલુરુના કામક્ષીપાલ્ય વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ નજીકથી મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ક્રાઈમ સીનની આસપાસના વિસ્તારની તપાસ કરી ત્યારે તેઓએ સીસીટીવી ફૂટેજમાં દર્શન અને પવિત્રાને ક્રાઈમ સીન છોડીને જતા જોયા. રાત્રે 11 વાગ્યાથી સવારના 3 વાગ્યા સુધી બંનેના મોબાઈલ નંબર એક જ વિસ્તારમાં એક્ટિવ હતા. આ પછી 11 જૂને દર્શન અને પવિત્રાની ધરપકડ કરવામાં આવી હતી.
રેણુકાસ્વામીની હત્યા શા માટે કરવામાં આવી? ખરેખર, મૃતક રેણુકાસ્વામી દર્શન થુગુદીપાનો ચાહક હતો. જાન્યુઆરી 2024 માં, કન્નડ અભિનેત્રી પવિત્રા ગૌડાએ દર્શન સાથે તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી. દર્શન પહેલાથી જ પરિણીત હતો, જેના કારણે અભિનેત્રી પવિત્રા ગૌડા સાથે તેના સંબંધો વિવાદોમાં આવ્યા હતા.
દર્શનને આદર્શ માનનારા રેણુકાસ્વામી આ સમાચારથી ખૂબ નારાજ થયા. તે પવિત્રાને સતત મેસેજ મોકલી રહ્યો હતો અને તેને ધમકાવતો હતો અને તેને દર્શનથી દૂર રહેવાનું કહેતો હતો. શરૂઆતમાં પવિત્રાએ તેના સંદેશાઓની અવગણના કરી, પરંતુ પાછળથી રેણુકાસ્વામીએ વાંધાજનક સંદેશાઓ મોકલવા અને તેને ધમકી આપવાનું શરૂ કર્યું. પવિત્રાએ જ્યારે આ અંગે દર્શનને ફરિયાદ કરી ત્યારે દર્શને તેના સાગરિતોની મદદથી રેણુકાસ્વામીને ગોડાઉનમાં બોલાવ્યો હતો, જ્યાં તેની ઉપર ત્રાસ ગુજારી હત્યા કરવામાં આવી હતી. આરોપીની કબૂલાત મુજબ હત્યા બાદ દર્શનના સાથીઓના કપડા લોહીથી ખરડાયેલા હતા. તે નજીકના રિલાયન્સ સ્ટોરમાં ગયા અને ત્યાં નવા કપડાં ખરીદ્યા અને બદલાવ્યા. આ કેસમાં દર્શન અને પવિત્રા સહિત 19 લોકો જેલના સળિયા પાછળ છે.
જેલમાં ધૂમ્રપાન કરતા જોવા મળ્યો હતો એક્ટર, ઘણા અધિકારીઓ સસ્પેન્ડ દર્શન થુગુદીપા હાલમાં બલ્લારી જેલમાં બંધ છે, જોકે અગાઉ તે બેંગલુરુની પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં હતો. થોડા દિવસો પહેલા પરપ્પાના જેલમાંથી દર્શનની એક તસવીર સામે આવી હતી તે જેલ ગાર્ડનમાં કેટલાક લોકો સાથે બેસીને સિગારેટ અને ચા પીતો હતો. આ તસવીર વાયરલ થયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમને અન્ય જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો અને DGP પાસે કડક કાર્યવાહીની માંગ કરી, ત્યારબાદ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.