પાલનપુર તાલુકાના સાસમ ગામે સોમવારે તળાવમાં ન્હાવા ગયેલો યુવક ડૂબી ગયો હતો. જ્યાં પહોંચેલી પાલનપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બીજા દિવસે મંગળવારે મોડી સાંજે મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો.
.
સાસમ ગામે રહેતા કરશનજી જોરમલજી ઠાકોર (ઉ.વ. 45) સોમવારે ગામના તળાવમાં ન્હાવા ગયા હતા. જોકે, તેઓ ઉંડા પાણીમાં ડુબી ગયા હતા. આ અંગેની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. આ અંગે પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગના અધિકારી પ્રદિપભાઇ બારોટે જણાવ્યું હતુ કે, કોલ મળતાં ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી તળાવમાં પડેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે, મૃતદેહ ન મળતાં મંગળવારે દિવસ દરમિયાન ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યાં સાંજના સુમારે મૃતદેહ મળી આવ્યો હતો. જેને બહાર કાઢી ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડાયો હતો.