દેશના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીની સમગ્ર દેશમાં બેજ સ્થળોએ સમાધી છે, જેમાંથી એક દિલ્હીની જાણીતી રાજઘાટમાં છે, તો બીજી આદિપુરમાં આવેલી છે. બીપરજોય બાદથી સતત જાળવણી હેઠળ રહેલી આ સમાધીના સમારકામ કરીને નવીન રૂપ આપવાનો પ્રયાસ એસઆરસી દ્વારા કરાઈ રહ્યો છ
.
ગાંધીજીના મહારાવને પત્ર બાદ 15 હજાર એકર જમીણ કંડલા પોર્ટ અને ગાંધીધામ આદિપુરના નિર્માણ માટે મળી હતી. પરંતુ ઈતિહાસ નોંધે છે કે કચ્છના મહારાવે આપેલી આ જમીનમાં શહેરનું ખાતમુહુર્ત કરવા પણ ગાંધીજી આવવાના હતા પરંતુ તે આમંત્રણ ગ્રહણ કર્યાના થોડાજ કલાકોમાં તેમની હત્યા થઈ ગઈ હતી.
આજે દેશના રાષ્ટ્રપિતાનો જન્મ દિવસ છે ત્યારે બિપરજોય વાવાઝોડા દરમ્યાન થયેલા નુકશાન બાદ ગાંધી બાપુની સમાધીને બંધ કરીને રીનોવેશન હાથ ધરાયું હતું, જેનો એક તબક્કો પુરો થયો છે, પરંતુ હજુ બે તબક્કા બાકી હોવાનું જણાય છે. હાલ આ ગાંધી સમાધી ગાર્ડનમાં રોજ 200થી વધુ લોકો મુલાકાત લે છે, સવારે અને સાંજે યોગા ક્લાસીસ ચાલે છે તો બાળકો બગીચાનો આનંદ લેતા જોવા મળે છે. નોંધવું રહ્યું કે, બિપરજોય વાવાઝોડા બાદ ગાંધી સમાધીને રિનોવેશન માટે લાંબા સમય માટે બંધ રખાઇ હતી. પરંતુ હજી પણ તેનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે.