12 મિનિટ પેહલા
- કૉપી લિંક
03જી ઓક્ટોબરથી શક્તિની આરાધનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે, જે દશેરાના દિવસે પૂર્ણ થશે. આ વખતે તિથિઓની વધ-ઘટ થવાથી નવરાત્રિ 8 દિવસની જ રહેશે. વર્ષમાં ચાર વાર નવરાત્રી આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રી છે, આસો માસની નવરાત્રી દરમિયાન ગરબા રમવાનું પણ વિશેષ કારણ વિદ્વાનો પાસેથી જાણવા મળતું હોય છે નવરાત્રી એટલે નવ રાત્રિનું પૂજન, જો માતાજીની ઈચ્છા હોય તો જ ભક્ત ભક્તિ કરી શકે છે તેવું પણ વિદ્વાનો જણાવતા હોય છે, જન્મ આપી જીવને દુનિયામાં લાવનાર માતા અને બીજી જીવને સદગતિ અને પૂર્વજન્મ ના દોષ દૂર કરનારી માતા એટલે જગદંબા.
નવરાત્રી દરમિયાન ઘટ ( કળશ) નું સ્થાપન હેતુ પણ વિશેષ ભાવ રહેલો હોય છે, તેની નવ દિવસ હેતુની સ્થાપના પણ યોગ્ય માર્ગદર્શન માંગી લે છે જે મુજબ સવારે, બપોરે અભિજીત નક્ષત્ર માં કરવું અથવા સંધ્યા સમય આસપાસ શુભ યોગ હોય ત્યારે કરવું, પણ રાત્રે ન કરવું વગેરે, નવરાત્રિ માં ધટની અંદર અખંડદીપ પ્રાગટય ખૂબ પ્રભાવશાળી છે, તેમાંથી રાત્રી દરમિયાન દિપકનો પ્રકાશ વડે શક્તિશાળી ઉર્જા થી ભક્તિ કરનાર ની પોતાની આભા અને ઘરની અંદર પણ સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે, જેનાથી ઘટ સમક્ષ ભક્તિ કરતો ભક્ત પોતાના જીવનો ઉદ્ધાર કરે છે અને ઘરમાં રહેલી નકરાત્મક શક્તિ દૂર થાય છે, ભક્તિ હેતુ પણ જો યોગ્ય માર્ગદર્શન હોય તો વિશેષ વાત કહી શકાય, માતાજી ભક્તનો ભાવ જોવે છે અને તે ખુશ થાય છે, જાણો કળશ સ્થાપનાના મહુર્તથી લઈને તમામ વિધિ વિશે…
કળશ સ્થાપના બ્રહ્માંડમાં રહેલી શક્તિ તત્ત્વનું આવાહન- કળશ સ્થાપનાનો અર્થ છે નવરાત્રિ સમયે બ્રહ્માંડમાં સ્થિત શક્તિ તત્ત્વનું ઘટ એટલે કળશમાં આવાહન કરવું. શક્તિ તત્ત્વને કારણે ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે. નવરાત્રિના પહેલા દિવસે પૂજાની શરૂઆત દુર્ગા પૂજા માટે સંકલ્પ લઈને ઈશાન ખૂણામાં કળશ સ્થાપના કરવામાં આવે છે.
કળશ સ્થાપના શા માટે?
- નવરાત્રિમાં સ્થાપિત કરવામાં આવતો કળશ આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.
- કળશ સ્થાપનાથી ઘરમાં શાંતિ આવે છે. કળશને સુખ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.
- ઘરમાં રાખવામાં આવતો કળશ વાતાવરણને ભક્તિમય બનાવે છે. એનાથી પૂજામાં એકાગ્રતા વધે છે.
- ઘરમાં બીમારીઓ હોય તો કળશ એને દૂર કરવામાં મદદ કરે છે.
- કળશને ભગવાન ગણેશનું પણ સ્વરૂપ માનવામાં આવે છે, એનાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે.
પૂજા વિધિ-
- કળશ ઉપર માતાની મૂર્તિ રાખો. મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દેવીના ચિત્રની પૂજા કરો
- કળશ સ્થાપના પછી નવ દિવસ સુધી પૂજા અને વ્રતનો સંકલ્પ લો અને સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો
- પછી વરુણ દેવ સાથે જ નવગ્રહ, માતૃકા, લોકપાલ અને પછી દેવી પૂજા શરૂ કરો
- દેવીપૂજા મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તરીકે કરવી જોઈએ. પછી દરરોજ શ્રીદુર્ગાસપ્તશતીનો પાઠ કરવો જોઈએ.
આ વાતોનું ધ્યાન રાખો-
- નવરાત્રિમાં નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે માતા પ્રત્યે અખંડ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે.
- ઘીનો દીવો માતાજીની જમણી બાજુ અને તેલનો દીવો ડાબી બાજુ રાખવો જોઈએ
- અખંડ જ્યોત નવ દિવસ સુધી પ્રગટેલી રહેવી જોઈએ. એના માટે એક નાના દીવાનો પણ ઉપયોગ કરી શકાય છે.
- જ્યારે જ્યોતમાં ઘી ઉમેરવું હોય અથવા દિવેટ ઠીક કરવી હોય તો અખંડ દીવાની જ્યોતથી એક નાનો દીવો પ્રગટાવીને અલગ રાખી લો.
- દીવો ઠીક કરતી સમયે અખંડ જ્યોત ઓલવાઈ જાય તો નાના દીવાની દિવેટથી ફરીથી પ્રગટાવી શકાય છે.
નવરાત્રી ઋતુઓના સંક્રમણ સમયગાળા દરમિયાન આવે છે.
- નવરાત્રી વર્ષમાં કુલ ચાર વખત આવે છે. પ્રથમ ચૈત્ર માસમાં, બીજો અષાઢ માસમાં, ત્રીજો આસો માસમાં અને ચોથો કારતક માસમાં. ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સરળ છે. આ નવરાત્રી દરમિયાન દેવીની પૂજા સરળ રીતે કરવામાં આવે છે.
- અષાઢ અને મહા મહિનામાં ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આ મહિનામાં દેવીની દસ મહાવિદ્યાઓ માટે ગુપ્ત વિધિ કરવામાં આવે છે. તંત્ર-મંત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વધુ જરૂરી છે.
- નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે અને દેવી પૂજાનો આ તહેવાર ચારેય વખત બે ઋતુઓના સંગમ પર ઉજવવામાં આવે છે. ઋતુઓનો સંધિ સમય એટલે એક ઋતુની વિદાય અને બીજી ઋતુના આગમનનો સમય.
- ચૈત્ર મહિનામાં શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળો શરૂ થાય છે. અષાઢમાં ઉનાળાની ઋતુ પૂરી થાય છે અને વર્ષાઋતુ આવે છે.
- આસો મહિનામાં વરસાદની ઋતુ પૂરી થાય છે અને શિયાળો આવે છે. કારતક મહિનામાં શિયાળો પૂરો થાય છે અને વસંત આવે છે.
- ઋતુઓના સંક્રમણ કાળમાં ઉપવાસ કરવાથી ધાર્મિક લાભ તો મળે જ છે પણ સારું સ્વાસ્થ્ય પણ મળે છે. આ કારણથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.
- આયુર્વેદમાં રોગો મટાડવાની એક રીત લંગન છે. લાંઘન પદ્ધતિ હેઠળ, દર્દીને ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને રાહત મળે છે અને આપણું શરીર શરીરમાં હાજર અપાચિત ખોરાકનો ઉપયોગ ઊર્જા માટે કરે છે. જ્યારે પાચન બરાબર થાય છે, ત્યારે ઘણા રોગો દૂર થાય છે.
નિષ્ણાત:-
જ્યોતિષાચાર્ય ડો.હેમીલ.પી. લાઠીયા
જ્યોતિષાચાર્ય આશિષ રાવલ