સુરત મીની ભારત તરીકે ઓળખાય છે. ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીં રોજગારી મેળવવા માટે આવ્યા હોય છે. તહેવારના સમયે આ તમામ લોકો પોતાના વતન જતા હોય છે. જેને લઈને મોટો ધસારો ટ્રેનમાં જોવા મળતો હોય છે. ગત દિવાળીએ ટ્રેનમાં બેસવા માટે થયેલી ભાગદોડમાં
.
દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ભારતીય રેલવે 519 સ્પેશિલય ટ્રેનો દોડાવવાની છે. તેના કુલ 6 હજારથી વધુ ફેરા હશે. તેમાં સૌથી વધુ 86 ટ્રેનો પશ્ચિમ રેલવે દોડાવવાનું છે. જેના કુલ 1380 ફેરા હશે. ગત વર્ષે પશ્ચિમ રેલવેએ 65 ટ્રેનોના 1110 ફેરા દોડાવ્યા હતા. આ વર્ષે ભારતીય રેલવે 519 સ્પેશિલય ટ્રેનો દોડાવવાની છે. તેના કુલ 6 હજારથી વધુ ફેરા હશે. તેમાં સૌથી વધુ 86 ટ્રેનો પશ્ચિમ રેલવે દોડાવવાનું છે. જેના કુલ 1380 ફેરા હશે. ગત વર્ષે પશ્ચિમ રેલવેએ 65 ટ્રેનોના 1110 ફેરા દોડાવ્યા હતા.
આ વર્ષે 21 ટ્રેનો વધારીને કુલ 86 ટ્રેનો કરી આ વર્ષે 21 ટ્રેનો વધારીને કુલ 86 ટ્રેનો હશે. એટલે કે વધારાના 270 ફેરા હશે. આમ કુલ 86 ટ્રેનોના 1380 ફેરા હશે. 1380 ફેરામાં 28 લાખથી વધુ પ્રવાસીઓને ફાયદો થશે. મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતના શહેરો માટે દોડાવવામાં આવશે. તેમાં સૌથી વધુ મુંબઈથી 14 જોડી સ્પેશિલય ટ્રેન દોડાવાશે.
સુરત-ઉધનાથી 8 જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે સુરત-ઉધનાથી 8 જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ઉપરાંત 20 જોડી સ્પેશિયલ ટ્રેનો સુરત-ઉધના-ભેસ્તાનથી પસાર થશે. ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ અને ભાવનગરથી પણ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સૌથી વધુ લાભ સુરત-ઉધનાને થનાર છે.
ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેનો ફૂલ થઈ ગઈ દિવાળીને હજી મહિનો બાકી છે, પરંતુ ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેનો ફૂલ થઈ ગઈ છે. કેટલીક ટ્રેનોમાં 150થી વધુનું વેઈટિંગ બતાવી રહ્યું છે. બીજી તરફ કેટલીક લોકપ્રિય ટ્રેનો ફુલ થઈ ગઈ છે. તેમાં રૂમ બતાવે છે, પરંતુ પ્રવાસીઓને વેઇટિંગ ટિકિટ પણ મળતી નથી. ઉલ્લેખનીય છે કે, 2023માં દિવાળીમાં પણ ટ્રેનો ફુલ થઈ ગઈ હતી અને રેલવેએ વધારાની ટ્રેનો દોડાવી નહોતી. આથી સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટનામાં એક પ્રવાસીનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રેલવે તંત્ર જાગ્યું હતું અને વધારાની ટ્રેનો દોડાવી હતી. આ વર્ષે પણ ધીમે ધીમે ટ્રેનની જાહેરાત કરવામાં આવી રહી છે.
કઈ ટ્રેનમાં કેટલું વેઈટિંગ અને શું છે સ્થિતિ 28 ઓક્ટોબર 2023ના રોજ ગોરખપુર એક્સપ્રેસમાં નો રૂમ, ઉધના-બરોની એક્સપ્રેસમાં સ્લીપર 193 વેઇટિંગ અને થર્ડ એસી 120 વેઇટિંગ બતાવે છે. સુરત-છપરા ક્લોન સ્પેશિયલ એક્સપ્રેસમાં નો રૂમ છે અને વલસાડ-દાનાપુર એક્સપ્રેસમાં સ્લીપર 144 વેઇટિંગ છે. 29 ઓક્ટોબર 2024ની ઉધના-બરૌની એક્સપ્રેસમાં સ્લીપર 165 વેઇટિંગ છે. થર્ડ એસી 105 વેઇટિંગ છે. વાપી-દાનાપુર એક્સપ્રેસમાં સ્લીપર 186 વેઇટિંગ છે. તાપ્તીગંગા એક્સપ્રેસમાં પણ રૂમ જ નથી. 31 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈ-વારાણસી એક્સપ્રેસમાં થર્ડ એસી 112 વેઇટિંગ છે અને થર્ડ ઇકોનોમી 128 વેઇટિંગ બતાવે છે. અમદાવાદ-આસનસોલમાં નો રૂમ બતાવે છે. તાપ્તીગંગા એક્સપ્રેસમાં પણ નો રૂમ બતાવે છે. 1 નવેમ્બર 2024ના રોજ ઉધના-વારાણસી એક્સપ્રેસમાં સ્લીપર 156 વેઇટિંગ બતાવે છે. ઉધના-પટના સ્લીપર 126 વેઇટિંગ બતાવે છે. 2 નવેમ્બર 2024ના રોજ વલસાડ-મુઝફ્ફરપુર 5-મુઝફ્ફરપુર શ્રમિક એક્સપ્રેસમાં નો રૂમ છે. બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં નો રૂમ છે. સુરત-ભાગલપુર એક્સપ્રેસમાં નો રૂમ છે. ઉધના-દાનાપુર એક્સપ્રેસમાં નો રૂમ બતાવે છે.
ત્રણથી ચાર લાખ લોકો દીવાળીના તહેવાર પર વતન જાય છે સામાજિક અગ્રણી અજયસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દિવાળીના સમયે વતન પરત જતાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ અત્યારનો પ્રોબ્લેમ નથી આ વર્ષોથી એમ જ છે. સુરતથી ટ્રેનમાં ત્રણથી ચાર લાખ લોકો દીવાળીના તહેવાર પર પોતાના વતન જતા હોય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી દોઢ લાખ જેટલા અન્ય લોકો હોય છે. 10થી વધુ સ્પેશિયલ ટ્રેન હોવી જોઈએ. જો કે, જે લાંબા રૂટની ટ્રેન દોડાવવામાં આવે છે તેમાં પાંચ રાજ્ય કવર કરવામાં આવે છે. પણ તેના માટે પણ અલગથી ટ્રેન દોડાવવામાં આવે તો ધસારો ઓછો થાય અને લોકો પોતાના વતન સરળતાથી પહોંચી શકે છે.
સ્પેશિયલ ટ્રેનોનું ભાડું 15 ટકા વધુ હોય છે વધુમાં જણાવ્યું હતું કે, લાંબા રૂટની ટ્રેનો સાપ્તાહિક ચલાવવામાં આવે છે. જેના પગલે ભીડ રહે છે. તેને થોડા દિવસો ડેઇલી કરવામાં આવે તો રેલવેને નફો જ થશે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહાર સુધી ટ્રેનો ચાલે છે. આ ટ્રેનો વિકલી હોવાથી મુશ્કેલી થઈ રહી છે. તેને ડેઇલી કરી દેવામાં આવે તો લોકોને હાલાકી વેઠવી નહીં પડે. આ સાથે જે સ્પેશિયલ ટ્રેનો જોડાવામાં આવે છે તેનું ભાડું 15% જેટલું વધુ હોય છે. જેના કારણે રેગ્યુલર ટ્રેનમાં વેઇટિંગ વધતું જાય છે.
કાળા બજારી ચાલતી જ રહે છે દિવાળીના તહેવાર સમયે સ્પેશિયલ ટ્રેનમાં ટિકિટને લઈને કાળા બજારી પણ ચાલતી હોય છે. નેતાઓ સહિતના હોય તો તેમના ક્વોટા પ્રમાણે તો સામાન્ય લોકોને મદદ કરતા હોય છે. લોકો પણ આ નેતાઓની ઓફિસો પર જઈને ટિકિટ માટે માગણી પણ કરતા હોય છે. આ ટ્રેનોમાં બ્લેકની ટિકિટો ખરીદનારાઓ સેકન્ડોમાં આ તમામ ટિકિટો ખરીદી લેતા હોય છે. જેના કારણે જે 2200ની ટિકિટ હોય છે તે 6500 સુધી ચૂકવીને પણ લોકોને પોતાના માદરે વતન પહોંચવું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે. આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે જો કે છતાં પણ આ કાળા બજારી ચાલતી જ રહે છે.
યુપી બિહાર તરફની તમામ ટ્રેનો હાઉસફુલ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે યુપી બિહાર તરફની તમામ ટ્રેનો માટે છઠ્ઠ, દશેરા કે દિવાળીને લઈને એક પણ ટ્રેનમાં ટિકિટ મળી રહી નથી. તમામ ટ્રેનો હાઉસફુલ છે. સરકાર પાસે આ તમામ ડેટા છે અને ક્યાં કેટલી ટ્રેન દોડાવી પડે તેનું પણ અનુમાન લગાવી શકાય છે. સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો હોવાથી ટ્રેનોને ઉધના અથવા અન્ય સ્ટેશન ખાતેથી ચલાવીને ભીડને ઓછી કરી શકાય તે એક વિકલ્પ છે. ગત વર્ષે સુરત રેલવે સ્ટેશન પર જે ભીડ થઈ હતી તે જોઈને એવું લાગી જ રહ્યું ન હતું કે, આપણે વિકસિત ભારતની તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં હોય તેવું લાગી રહ્યું હતું. આ એક કડવી હકિકત છે. સરકાર દ્વારા રેલવે વિભાગમાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, તહેવાર સમયે પણ થતી સમસ્યાઓનું પણ નિરાકરણ લાવવામાં આવે.